જેડીયૂ સાથે ગઠબંધન તૂટતાં અડવાણી નારાજ

લાલકૃષ્ણ અડવાણીએ આજે રવિવારે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે લાંબી વાતચીત થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે ગોવામાં નરેન્દ્ર મોદીના મુદ્દે ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જેડીયૂ સાથે ગઠબંધન તૂટ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં યોજાયેલી કાર્યકારીણીની બેઠકમાં નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા. આ નિર્ણય અડવાણીની ગેરહાજરીમાં લેવામાં આવ્યો હતો. તેનાથી નારાજ થઇને અડવાણીએ રાષ્ટ્રીય કાર્યકારીણી, પ્રચાર સમિતિ અને સંસદીય બોર્ડમાંથી રાજીનામું આપી દિધું હતું.
જો કે તેમને એનડીએના ચેરમેન પદ, લોકસભાની સદસ્યતા અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું નથી. બે દિવસ બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે હસ્તક્ષેપ કરીને અડવાણીનું રાજીનામું પરત લેવડાવ્યું હતું.












Click it and Unblock the Notifications
