Aero India 2019: પાર્કિંગમાં ઉભેલી કારોમાં લાગી આગ, 150 ગાડીઓ બળીને રાખ
બેંગલુરુમાં હાલમાં 12માં એરો ઈન્ડિયાનું આયોજન થઈ રહ્યુ છે. શનિવારે આ આયોજન સાથે એક મોટી દૂર્ઘટનાનું નામ જોડાઈ ગયુ છે.
બેંગલુરુમાં હાલમાં 12માં એરો ઈન્ડિયાનું આયોજન થઈ રહ્યુ છે. શનિવારે આ આયોજન સાથે એક મોટી દૂર્ઘટનાનું નામ જોડાઈ ગયુ છે. યેલાહાંકા એરફોર્સ સ્ટેશનના ગેટ નંબર પાંચના પાર્કિંગ સ્થળ પર આગ લાગવાથી લગભગ 150થી વધુ ગાડીઓ રાખમાં ફેરવાઈ ગઈ છે. આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ સૂચના મળી નથી. ઘટના પર વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઘટનામાં લગભગ 100 ગાડીઓ ખાખ થઈ ગઈ છે.
એરો ઈન્ડિયા જ્યારથી શરૂ થયુ છે તે પહેલાથી આની સાથે દૂર્ઘટનાઓ ચાલુ છે. સોમવારે રિહર્સલ દરમિયાન સૂર્ય કિરણ એરોબેટીક્સ ટીમના બે એરક્રાફ્ટ પરસ્પર ટકરાઈ ગયા હતા. આ દૂર્ઘટનનામાં વિંગ કમાંડર સાહિલ ગાંધી શહીદ થઈ ગયા હતા જ્યારે પાયલટ ઘાયલ છે. આ બંનેનો ઈલાજ ચાલુ છે. શનિવારે કાર્યક્રમના ચોથા દિવસે સૂર્યકિરણની એરોબેટીક ટીમે પરફોર્મ કર્યુ અને વિંગ કમાંડર ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
આ પણ વાંચોઃ CRPF જવાનનો અંતિમ વીડિયો, જે તેણે પત્નીને મોકલ્યો હતો