સત્તામાં આવ્યા પછી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશુ: રાહુલ ગાંધી
આજે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. તેના સિવાય આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની પણ એક મોટી રેલી છે.
આજે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરશે. તેના સિવાય આજે વિશાખાપટ્ટનમમાં વિપક્ષ એકતાની પણ એક મોટી રેલી છે. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ ઘણી પાર્ટીના નેતાઓને બોલાવ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહીત ઘણા નેતાઓ હાજર રહેશે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે લોકસભા સીટોથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની અમેઠી સીટથી ચૂંટણી લડશે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરી રહ્યા છે. ટ્રાન્સલેટરની મદદથી લોકોને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અમારા મેનીફેસ્ટોમાં એતિહાસિક એલાન કર્યું છે. ગરીબી હટાવવામાં માટે અમે ન્યાય યોજના લાવીશું.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદી સરકારે 5 વર્ષમાં વચન પૂરું નથી કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે કોંગ્રેસ સરકારમાં આવશે ત્યારે અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપી.શુ રાહુલ ગાંધીએ કહ્યું કે આ એવું વચન છે, જે કોંગ્રેસ અથવા મનમોહન સિંહજી નથી આપી રહ્યા પરંતુ આ વચન દેશનું આંધ્રપ્રદેશ માટે છે.