પૂજા ખેડકર બાદ વધુ 6 ઓફિસરોના પ્રમાણપત્રોની તપાસ શરૂ, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
ખોટા સર્ટિફિકેટ બનાવીને ઓફિસર બનેલી નકલી IAS પૂડા ખેડકરને પદેથી હટાવી દેવાઈ છે. હવે આ લિસ્ટમાં વધુ 6 અધિકારીઓની પણ તપાસ શરૂ કરાઈ છે.
પૂજા ખેડકર બાદ UPSC એ હવે અન્ય 6 પ્રોબેશનર્સ અને અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રો તપાસવાનું શરૂ કર્યું છે. સૂત્રો અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ અન્ય છ સરકારી કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરી રહ્યું છે.

પૂજા ખેડકરની ઉમેદવારી રદ થતાં 6 અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં UPSCએ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી છે. પૂજા ખેડકર પર પરીક્ષાના નિયમો અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાના આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જે છ સિવિલ અધિકારીઓની ડિસેબિલિટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી રહી છે તેમાં પાંચ IAS અને એક IRS ઓફિસરનો સમાવેશ થાય છે.
સૂત્રો અનુસાર, આ અધિકારીઓ એ જ અધિકારીઓ હોઈ શકે છે જેમના ડિસેબિલિટી સર્ટિફિકેટની છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે, UPSC એ ઉપલબ્ધ રેકોર્ડની કાળજીપૂર્વક તપાસ કરી છે અને CSE-ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને પૂજા ખેડકર કામ કરતી હોવાનું જણાયું છે.
CSE-2022 માટે તેમની કામચલાઉ ઉમેદવારી રદ કરવામાં આવી છે અને તેમને UPSC ની ભવિષ્યની તમામ પરીક્ષાઓ/પસંદગીઓમાંથી કાયમી ધોરણે બાકાત રાખવામાં આવી છે.












Click it and Unblock the Notifications
