Fodder Scam: લાલુ પ્રસાદ યાદવની બિરસા મુંડા જેલમાં રાત
શનિવારના રોજ બિહારની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો હતો. ઘાસચારા કૌભાંડામાં બિરાહના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને કોર્ટે દોષિ જાહેર કરતા તેમને રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા.
શનિવારના રોજ બિહારની રાજનીતિમાં એક મોટો વળાંક આવ્યો હતો. ઘાસ ચારા કૌભાંડામાં બિરાહના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને કોર્ટે દોષિ જાહેર કરતા તેમને રાંચીની બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી મોટી ઈમારતોમાં રહેવા ટેવાયેલા લાલુ યાદવને શનિવારની રાત જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર લાલુ પ્રસાદ યાદવ આખી રાત બેચન રહ્યા હતા અને સરખી ઊંઘ પણ કરી ન હતી. સવારે તેમને બિસ્કીટ અને ચા આપવામાં આવી હતી. જ્યારે જમવામાં તેમને જેલમાં ઉગતા શાકભાજી અને રોટલી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જેલના જે રૂમમાં લાલુ યાદવ રહે છે તે વીઆઈપી રૂમ છે. જે બીજા રૂમો કરતા ગણો અલગ છે. તેમાં એટેજ બાથરૂમ, બેડ સીટ અને મચ્છરદાનીની સુવિધા આપવામાં આવી છે. તેમને જેલમાં 3351 કેદી નંબર આપવામાં આવ્યો છે. તેમની ઉંમરને જોતા વકીલ દ્વારા જેલમાં આ સુવિધાઓની રજુઆત કરવામાં આવી હતી. આથી તેમને આ સુવિધાઓ આપવામાં આવી છે. આજે રવિવાર હોવાથી તેમને કોઈની સાથે મળવા દેવામાં નહી આવે. વિશેષ સીબીઆઈ કોર્ટ દ્વારા બિહારના પૂર્વ સી.એમ અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષી જાહેર કરતા તેમણે જણાવ્યુ હતું કે, આ ધર્મયુદ્ધ માં તે એકલા નથી, પરંતુ સમગ્ર બિહાર તેમની સાથે છે.'