29 નવેમ્બરે કૃષિ કાયદા પરત લેવાઈ શકે, ભાજપે વ્હીપ જારી કર્યો!
ભારતીય જનતા પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદોને ત્રણ લાઈન વ્હીપ જારી કર્યો છે, જેમાં 29 નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય ત્યારે સભ્યોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
નવી દિલ્હી, 25 નવેમ્બર : ભારતીય જનતા પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદોને ત્રણ લાઈન વ્હીપ જારી કર્યો છે, જેમાં 29 નવેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય ત્યારે સભ્યોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. વ્હીપ જારી કરીને સરકારે સંકેત આપ્યો છે કે સરકાર સત્રના પહેલા જ દિવસે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ રજૂ કરી શકે છે. વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે ગૃહમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે, જેના માટે તમામ સભ્યોએ ગૃહમાં હાજર રહેવું પડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેમની સરકારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ખેડૂતોના એક વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવતા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ કાયદાને રદ કરવાની મંજૂરી આપી હતી, જેનો સમગ્ર દેશમાં ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ગુરુ નાનક જયંતિ પર વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતા ત્રણેય વિવાદિત કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો હતો. સરકારના કૃષિ કાયદાને પરત ખેંચવાના નિર્ણયથી દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જો કે ખેડૂતોએ કહ્યું કે જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓ અંગે નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માથે છે ત્યારે મોદી સરકાર શિયાળુ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જો કે વિપક્ષો પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારને ઘેરવાની તૈયારી કરીને ગૃહમાં આવશે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
