ભારત બાયોટેકની ‘Covaxin’ના ટ્રાયલ માટે એમ્સને સ્વયંસેવકો જ નથી મળી રહ્યા
ભારત બાયોટેકની ‘Covaxin’ના ટ્રાયલ માટે એમ્સને સ્વયંસેવકો જ નથી મળી રહ્યા
Coronavirus Vaccine News in Gujarati: કોરોના વાયરસ મહામારી સામે આખા દેશમાં રસીકરણના અભિયાનને લઈ તૈયારીઓ તેજીથી ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીથી પહેલા તબક્કા અંતર્ગત કોરોના વાયરસ વેક્સીન આપવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. આ તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને ભઆરત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસિત કરવામા આવેલ વેક્સીન Covaxinના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પર્યાપ્ત સંખ્યામાં વૉલંટિયર નથી મળી રહ્યા. એમ્સના અધિકારીઓનું માનવું છે કે લોકો એવું વિચારી રહ્યા છે કે જલદી જ કોરોનાની વેક્સીન આવશે, અને માટે જ તેઓ ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર નથી.

જણાવી દઈએ કે દિલ્હીની એમ્સ એવી જગ્યાઓમાની એક છે જ્યાં Covaxinના અંતિમ તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે 1500 વૉલેન્ટિયર્સની જરૂરત છે. એમ્સના પ્રોફેસર અને વેક્સીન ટ્રાયલના મુખ્ય તપાસકર્તા ડૉ સંજય રાયે જણાવ્યું કે કોવેક્સીનના અંતિમ તબક્કાના ટ્રાયલ માટે અમને 1500થી 20000 વૉલેન્ટિયર્સની જરૂરત છે, પરંતુ હજી સુધી અમારી પાસે માત્ર 200ની જ સંખ્યા થઈ શકી છે. લોકો એમ વિચારીને ટ્રાયલનો ભાગ બનવા માટે તૈયાર નથી કે કોરોના વેક્સીન જલદી જ ઉપલબ્ધ થઈ જશે તો પછી ટ્રાયલમાં ભાગ શા માટે લેવો.
6 મહિનામાં કોરોનાના 60 કરોડ ડોઝ અપાશે
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના રસીકરણ અભિયાનને લઈ સરકાર પહેલેથી જ તૈયારી શરૂ કરી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે પહેલા તબક્કા અંતર્ગત દેશના એવા 30 લોકોને વેક્સીન આપવામાં આવશે જેઓ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. બુધવારે એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે અમે લોકો આગલા 6 મહિનામાં 30 કરોડ લોકોને કોરોના વાયરસનો 60 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય હાંસ લેશું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
