US ફેડરલના પગલે એર ઇન્ડિયાએ ડ્રીમલાઇનરની 6 ઉડાનો રદ કરી
આ અંગે ભારતના એવિએશન મિનિસ્ટર અજિત સિંહે જણાવ્યું કે "અમે એફએફએ દ્વારા સુરક્ષા કારણોસર લેવામાં આવેલા પગલાનું અનુકરણ કર્યું છે. અમે યુએસએની એજન્સીના સતત સંપર્કમાં છીએ. તેમની તરફથી ઉડાનની મંજૂરી મળ્યા બાદ જ અમે અહીં ડ્રીમલાઇનરને ઉડાવવાની અનુમતિ આપીશું."
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરી, 2013 બુધવારના રોજ ડ્રીમલાઇનરની ફ્લાઇટમાં સુરક્ષા મુદ્દે તકલીફો ઉભી થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે તમામ ફ્લાઇટ્સની ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. FAAએ દ્વારા આ પગલું બુધવારે જાપાનની બે અગ્રણી એરલાઇન્સ નિપ્પોન અને જાપાન એરલાઇન્સ દ્વારા તેમના ડ્રીમલાઇનસ્રનું તત્કાલ લેન્ડિંગ કરાવવાના લીધેલા પગલા બાદ આવ્યો હતો. તેમની ફ્લાઇટ્સમાં બેટરી પ્રોબ્લેમ સર્જાયો હતો અને તેમાંથી ધૂમાડો બહાર નીકળતો હતો. એક્સપર્ટે ડ્રીમલાઇનરની લિથિયમ-ઇઓન બેટરીમાં અગ્નિદાહક પ્રવાહીનું ગળતર થવાની સમસ્યા શોધી હતી.
વર્તમાન સમયમાં લગભગ 50 ડ્રીમલાઇનર્સની ઉડાનો રદ કરવામાં આવી છે. જ્યાં સુધી સમસ્યાનું યોગ્ય નિરાકણ નહીં આવે અને સુરક્ષાની ખાતરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન શરૂ કરવામાં આવશે નહીં.
દુનિયાનાં સૌથી મોટા અને શાનદાર ગણાતા બોઈંગનાં ડ્રીમલાઈનર વિમાનની મુસીબતો વધવાના કિસ્સામાં વધારો થતા ભારતે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇને આજે ગુરૂવારે એર ઈન્ડિયાનાં 6 ડ્રીમલાઈનર વિમાનનાં ઉડવા પર રોક લગાવી દીધી છે. અન્ય દેશોમાં ડ્રીમલાઈનર સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી હતી જેને જોતા ડીજીસીએએ ભારતમાં આનાં ઉડવા પર રોક લગાવી છે.
ગત વર્ષે એર ઈન્ડિયાએ તેના વિમાનોના કાફલામાં સામેલ કરવા માટે વિમાન ઉત્પાદક કંપની બોઈંગ પાસેથી 256 બેઠકોવાળા 27 ડ્રીમલાઈનર વિમાનોની ખરીદી કરી હતી.