લૉકડાઉન દરમિયાન સિંગાપુરથી છાત્રોને લઈને દિલ્લી પહોંચી એર ઈન્ડિયા ફ્લાઈટ
દુનિયાના ઘણા ભાગોમાં લૉકડાઉન વચ્ચે સિંગાપુરથી પાછા લાવવામાં આવી રહેલ ભારતીયોની બીજી બેચને આજે દિલ્લી લાવવામાં આવી છે.
કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ અત્યારે આખી દુનિયા સહન કરી રહી છે. દુનિયાના ઘણા ભાગોમાં લૉકડાઉન વચ્ચે સિંગાપુરથી પાછા લાવવામાં આવી રહેલ ભારતીયોની બીજી બેચને આજે દિલ્લી લાવવામાં આવી છે. ત્યારબાદ બધા લોકોનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. સરકારનુ કહેવુ છે કે વિદેશથી આવલે બધા લોકોને 14 દિવસ માટે ક્વૉરંટીન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વંદે ભારત મિશન હેઠળ વિદેશથી ભારતીયોનો આવવાનો સિલસિલો ચાલુ છે.

સિંગાપુરથી ભારતીયોની વાપસી પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે સિંગાપુરથી એર ઈન્ડિયાનુ AI381 વિમાન હમણા દિલ્લી પહોંચ્યુ છે. વિદેશથી આવતા બધા ભારતીયોનુ સ્વાગત છે. હું દિલ્લી સરકાર અને બધા વિભાગોનો સહયોગ અને મદદ માટે આભાર માનુ છુ. વંદે ભારત મિશનના બીજા દિવસે એટલે કે આજે એર ઈન્ડિયાના 5 વિમાન ભારતીયોને લઈને પાછા આવી રહ્યા છે. આમાં સિંગાપુર-દિલ્લી ફ્લાઈટ આવી ગઈ છે. આ ઉપરાંત ઢાકા-શ્રીનગરની ફ્લાઈટ પણ આવશે. જેમાં 165 છાત્રો સવાર હશે. વળી, 145 ભારતીયોને જથ્થો રાતે 8.30 વાગે લગભગ રિયાદથી કોઝિકોડ પહોંચશે. માહિતી મુજબ 177 મુસાફરોની બેચરાતે 11.30 વાગે બહેરીનથી કોચિ પહોંચશે. આ ઉપરાંત ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયોને પણ પાછા લાવવામાં આવી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3390 નવા કેસ સામે આવ્યા છે અને 103 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશભરમાં કોરોના વાયરસના કેસ વધીને 56942 થઈ ગયા છે અને કોવિડ-19થી અત્યાર સુધી 1886 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાથી કુલ 56342 કેસોમાં 37916 સક્રિય કેસ છે. વળી, 16539 લોકોને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત શહેર મુંબઈ છે. કોરોનાના કુલ કેસોમાંથી 694 લોકોના મોત થયા છે. વળી, 3301 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે અને તેમને છુટ્ટી આપી દેવામાં આવી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
