વાયુસેનાએ જૈશની છાવણીઓ પર કર્યો હુમલો, મોટી સંખ્યામાં આતંકીઓ ઠારઃ વિદેશ સચિવ
ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી.
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાની અંદર ઘૂસીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં બોમ્બ ફેંક્યા. ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યુ કે પાકિસ્તાનની જાણકારી વિના પુલવામામાં આતંકી હુમલો સંભવ નથી. વિદેશ સચિવે કહ્યુ કે છેલ્લા 2 દશકોથી જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં સક્રિય છે અને જૈશે ભારતીય જવાનો પર હુમલા કરાવ્યા. પાકિસ્તાનની જાણ બહાર આ સંભવ નથી.
તેમણે કહ્યુ કે ભારતીય વાયુસેનાએ એલઓસીની અંદર ઘૂસીને આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા. તેમણે કહ્યુ કે ભારતે બાલાકોટમાં હાજર જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હુમલા કર્યા. આ હવાઈ હુમલામાં જૈશ એ મોહમ્મદના ટ્રેનર અને આતંકવાદી મોટી સંખ્યામાં ઠાર મરાયા છે.
મીડિયાને સંબોધિત કરતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યુ કે જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં બે દશકથી સક્રિય છે. જૈશે સંસદ પર હુમલા કર્યા, પઠાણકોટ એરબેઝ પર હુમલા કર્યા. આ ઉપરાંત ઘણી વાર જવાનોને નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાન હંમેશાથી આનાથી ઈનકાર કરતુ આવ્યુ છે. પુલવામા હુમલો પણ જૈશે કર્યો અને પાકિસ્તાનની જાણ બહાર નથી કર્યો.
#WATCH: Foreign secretary Vijay Gokhale briefs the media in Delhi https://t.co/Th0TjwO99o
— ANI (@ANI) 26 February 2019
આ પણ વાંચોઃ ભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલ