એક પરિવાર, એક ટિકિટ પર પૂર્ણ સંમતિ, ચિંતન શિબિર બાદ મોટો ફેરફારઃ અજય માકન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને આશા છે કે આ ચિંતન શિબિરમાં જરુર મોટા નિર્ણયો લેવાશે.
નવી દિલ્લીઃ કોંગ્રેસનુ આજે ત્રણ દિવસીય ચિંતન શિબિર રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થવા જઈ રહ્યુ છે. આ ચિંતન શિબિરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ ભાગ લેવા માટે પહોંચ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને આશા છે કે આ ચિંતન શિબિરમાં જરુર મોટા નિર્ણયો લેવાશે. તેમણે કહ્યુ કે એક પરિવાર એક ટિકિટના નિયમને એક સુરમાં લોકોએ સ્વીકાર્યો છે. માકને વચન આપ્યુ છે કે ચિંતન શિબિર બાદ પાર્ટી સંગઠન સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે.

અજય માકને કહ્યું કે, પેનલના સભ્યોમાં એ વાત પર સંમતિ છે કે એક પાર્ટી એક ટિકિટનો નિયમ લાગુ કરવામાં આવે અને પાર્ટીના કોઈ પણ નેતાના પરિવાર કે સંબંધીને એકથી વધુ ટિકિટ ન આપવી જોઈએ. પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 5 વર્ષ પાર્ટી સાથે કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ પદ પર હોય તો તેણે તે પદ પરથી રાજીનામું આપવું પડશે. ઓછામાં ઓછા ત્રણ વર્ષ તે પદથી દૂર રહ્યા પછી જ તે વ્યક્તિને ફરીથી તે જ પદ આપી શકાય છે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ આગામી લોકસભા ચૂંટણીમાં હાજરી આપવાના છે. નવ સંકલ્પ ચિંતન શિબિરમાં પાર્ટીના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. આ દરમિયાન સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા થશે. આજથી આ ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. શિબિરની શરૂઆત સોનિયા ગાંધીના ભાષણથી થશે ત્યારબાદ બીજા દિવસે રાહુલ ગાંધી નેતાઓને સંબોધન કરશે અને છેલ્લા દિવસે સોનિયા ગાંધીના સંબોધન સાથે શિબિરનો અંત આવશે. આ શિબિર માટે પાર્ટીએ મુખ્યત્વે 6 વિષયો પર વિગતવાર ચર્ચાનું આયોજન કર્યું છે જે રાજકીય, સંગઠન, અર્થતંત્ર, સામાજિક સુધારણા, યુવા અને કૃષિ છે.












Click it and Unblock the Notifications
