વારાણસી,
5
મેઃ
વારાણસીથી
કોંગ્રેસના
ઉમેદવાર
અજય
રાય
વિરુદ્ધ
તેમના
ભાભીએ
મોરચો
ખોલી
દીધો
છે.
અજય
રાય,
દિવંગત
કૃષ્ણાનંદ
રાયની
નજીક
હતા.
બન્નેમાં
પારિવારિક
સંબંધો
એ
પ્રમાણે
હતા
કે
ભાજપના
ઉમેદવાર
કૃષ્ણાનંદ
રાયને
તેઓ
પોતાના
મોટાભાઇ
માનતા
હતા.
કૃષ્ણાનંદ
રાયની
હત્યા
બાદ
અજય
રાયે
બહુચર્ચિત
ધારાસભ્ય
મુખ્તાર
અંસારી
સાથે
જ
હત્યાના
અન્ય
આરોપીઓની
ધરપકડ
માટે
આંદોલન
ચલાવ્યું
હતું.
તેમનું કહેવું હતું કે તેનાથી એ સાબિત થાય છેકે રાજકીય લાભ માટે કોઇ કોઇને પણ મળી શકે છે. તેમણે કહ્યું કે, અજય રાય ભલે તેમના પરિવારના હોય પરંતુ હવે તેઓ નરેન્દ્ર મોદીને જીતાડવામાં પોતાની જોર લગાવી દેશે. તેમણે આશા વ્યક્ત કરી છેકે મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના પતિના હત્યારાઓને જરૂર સજા મળશે. નોંધનીય છેકે, 2005માં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની ગાજીપુર જિલ્લામાં હત્યા કરી દેવામાં આવી હતી. તેમની સાથે ચાર અને લોકોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તેમની હત્યાના વિરોધ અને આરોપીઓની ધરપકડની માંગને લઇને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહએ વારાણસીમાં 15 દિવસ સુધી ધરણા કર્યા હતા.