મહારાષ્ટ્ર: અજિત પવારને મળી શકે છે ડેપ્યુટી CMનું પદ
મહારાષ્ટ્રમાં એક મહિનાના રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના-NCP-કોંગ્રેસ મળીને સરકાર રચશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આગાદીના નેતા તરીકે ચૂંટાયા બાદ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
મહારાષ્ટ્રમાં એક મહિનાના રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના-NCP-કોંગ્રેસ મળીને સરકાર રચશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આગાદીના નેતા તરીકે ચૂંટાયા બાદ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તે જ સમયે, મંત્રાલયોની વહેંચણી પર, બુધવારે NCP નેતા પ્રફુલ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ તરફથી સ્પીકર હશે અને DYCM-ડેપ્યુટી સ્પીકર NCPમાંથી હશે. આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યો છે કે અજિત પવાર NCPમાંથી ડેપ્યુટી સીએમ હોઈ શકે છે.
અજિત પવાર બની શકે છે ડેપ્યુટી CM
ન્યુઝ એજન્સી ANI અનુસાર, અજિત પવાર NCP વતી ડેપ્યુટી CM બની શકે છે, પરંતુ તેઓ આજે શપથ ગ્રહણ કરશે નહીં. તમને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવીસના સીએમ પદ માટે શપથ લેતા સમયે પણ અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા. ત્યારબાદ તેમણે એનસીપીના ધારાસભ્યોને સમર્થનનો પત્ર ભાજપને મોકલ્યો, ત્યારબાદ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. જોકે, બાદમાં અજિત પવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ફડણવીસને પણ બહુમતીના અભાવે રાજીનામું આપવું પડ્યું હતું.
|
ડેપ્યુટી CMને લઇને સસ્પેંસ ખતમ
બુધવારે સાંજે વાય.બી.ચૌહાણ સેન્ટરમાં એનસીપી-કોંગ્રેસ-શિવસેના ચાર કલાક સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં, આગામી સરકારમાં કેબિનેટની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ મીડિયામાં ડેપ્યુટી સીએમ અને સ્પીકરની વહેંચણી અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો. એનસીપી નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ તરફથી સ્પીકર રહેશે અને ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર એનસીપીના હશે.
ઉદ્ધવ ઠાકરે આજે કરશે શપથ ગ્રહણ
એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું કે, આજે મંત્રીમંડળ માટે ચર્ચાના અંતિમ ચરણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય પક્ષના ટોચના નેતાઓ વચ્ચેની બેઠકમાં મંત્રીઓના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ પક્ષો તરફથી બે મંત્રીઓ શપથ લેવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ તરફથી સ્પીકર તથા ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર એનસીપીના હશે. વિધાન પરિષદ અને નિગમો પણ સંમત થયા છે. આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે આજે શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શિવસેના આ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh?