Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અજીત પવાર ફરીથી બનશે ડેપ્યુટી સીએમ, ટુંક સમયમાં લેશે શપથ

હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકારના સહયોગથી રચાયેલા મહા વિકાસ આગાડી મોરચાની સરકારમાં ડેપ્યુટી સીએમ બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિંચાઇ કૌભાંડના આરોપી એનસીપીના નેતા અજિત પવારને એસીબી દ્વારા તમામ 17 કેસોમાં ક્લિનચીટ મળી ગયા બાદ હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકારના સહયોગથી રચાયેલા મહા વિકાસ આગાડી મોરચાની સરકારમાં ડેપ્યુટી સીએમ બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોરચામાં એનસીપીને ડેપ્યુટી સીએમ સાથે 16 મંત્રી પદ મળ્યા છે, જે મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીની સ્થિતિ બતાવવા માટે પૂરતા છે.

Ajit pawar

અજીત પવાર ત્રણેય પક્ષોની બેઠક અને એસીબી દ્વારા ક્લિનચીટ મળ્યાબાદ ટુંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમની શપથ લેશે. એન્ટી કરપ્શન બ્યુરોએ 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં ક્લિન ચિટ પર સોગંદનામું દાખલ કર્યું હતું. જલ્દી એસીબીમાંથી સિંચાઇ કૌભાંડના 17 કેસને ક્લિન ચિટ મળી જતાં, અજિત પવાર ઉપર સિંચાઇ કૌભાંડના તમામ કેસો મહારાષ્ટ્ર સરકારે પાછા ખેંચ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, નવેમ્બર 2018 માં એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્રમાં આશરે 70 હજાર કરોડના કથિત સિંચાઈ કૌભાંડ માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને જવાબદાર ઠેરવ્યો હતો. મહારાષ્ટ્ર ભ્રષ્ટાચાર વિરોધી એન્ટી કરપ્શન બ્યુરોએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે કરોડો રૂપિયાના કૌભાંડની કથિત તપાસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય સરકારી અધિકારીઓ વતી મોટી વાત બહાર આવી છે.

એવું કહેવામાં આવે છે કે લગભગ 70,૦૦૦ કરોડનું કૌભાંડ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શાસનમાં સિંચાઈ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા અને શરૂ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સાથે સંબંધિત છે. 1999 થી 2014 સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારમાં અજિત પવારની સિંચાઇ વિભાગની જવાબદારી હતી. એસીબીના ડાયરેક્ટર જનરલ સંજય બારવેએ નાગપુર હાઈકોર્ટની બેંચ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં એક એનજીઓ, જન મંચ દ્વારા અજિત પવાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીનો જવાબ આપવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીના ડેપ્યુટી સીએમ જ નહીં, પરંતુ ઉદ્ધવ સરકારમાં 16 પ્રધાનો પણ શપથ લઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ એક અઠવાડિયા સુધી મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી એક સપ્તાહ સુધી થયેલ મંથન બાદ નવા ફોર્મ્યુલા હેઠળ એનસીપીને સૌથી વધુ હિસ્સો મળવાની સંભાવના છે. આ ફોર્મ્યુલામાં એનસીપી ચીફ શરદ પવારનું વલણ જોઇ શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X