યુપીમાં વિદ્યાર્થીઓને મળ્યા લેપટોપ, પ્રદર્શનકારીઓને લાઠીચાર્જ
મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે નિર્ધારિત સમયથી પહેલાં ગાજિયાબાદ પહોંચી ગયા હતા. વહિવટી તંત્રના અધિકારીઓએ તેમને કડક સુરક્ષા વચ્ચે વસુંધરાના આવાસ-વિકાસ ગેસ્ટ હાઉસમાં રોક્યા હતા. સમારોહ સ્થળ પર પહોંચેતાં પહેલાં મુખ્યમંત્રી પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને વહિવટી તંત્રના અધિકારીઓ સાથે શહેરની સ્થિતી અંગે વાતચીત કરી હતી.
નગર વિકાસ મંત્રી આજમ ખાન પણ આજે સમારોહ સ્થળ પર મુખ્યમંત્રીની પહેલાં પહોંચી ગયા હતા. તેમને પાર્ટી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે તૈયારી અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી અખિલેશ યાદવના પ્રવાસને લીધે આજે ગાજિયાબાદના રસ્તા સૂમસામ ભાસી રહ્યાં હતા. અખિલેશ યાદવના પ્રવાસને ધ્યાનમાં રાખતાં પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું હતું, તો બીજી તરફ શહેરીજનોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.
રવિવારે રાત્રે સીએમનો વિરોધ કરવાનો દાવો કરી રહેલા વિભિન્ન દળોના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં છે. વિરોધને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીની સુરક્ષામાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો.