કચોળી વેચનારો નીકળ્યો કરોડપતિ, 60 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર
ઉત્તરપ્રદેશના અલીગઢ શહેરમાં સ્થિત સીમા ટૉકીઝની નજીક એક નાની દુકાનમાં કચોળી વેચનારો કરોડપતિ નીકળશે તેનો કોઈને કોઈ ખ્યાલ ન હતો
ઉત્તરપ્રદેશના અલીગઢ શહેરમાં સ્થિત સીમા ટૉકીઝની નજીક એક નાની દુકાનમાં કચોળી વેચનારો કરોડપતિ નીકળશે તેનો કોઈને કોઈ ખ્યાલ ન હતો. પરંતુ જ્યારે વાણિજ્ય વિભાગની ટુકડી તપાસ કરવા પહોંચી, ત્યારે તેની દુકાનદારી જોઈને તેમના પણ હોશ ઉડી ગયા. જ્યારે વાણિજ્ય વિભાગની ટુકડીએ દુકાનદારના વાર્ષિક ટર્નઓવર વિશે અનુમાન લગાવ્યું ત્યારે આ આંકડો 60 લાખ ઉપર પહોંચ્યો હતો. એટલું જ નહિ અધિકારીઓનું માનીએ તો, આ ટર્નઓવર 1 કરોડને પણ પાર કરી શકે છે.
ફરિયાદ પછી એક્શનમાં આવ્યું વાણિજ્ય વિભાગ
હકીકતમાં, સીમા ટૉકીઝ પાસે કચોળીની દુકાન લગાવનારનું નામ મુકેશ છે. છેલ્લા 10 વર્ષથી આ વેપારી કચોળી અને સમોસા વેચેછે. પરંતુ તે સમયે તે ડિપાર્ટમેન્ટની રડારમાં આવ્યો હતો જ્યારે કેટલાક લોકોએ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો લખનૌ ખાતે દુકાનદાર વિશે ફરિયાદ મળી હતી. ફરિયાદ પ્રાપ્ત કર્યા પછી, વિભાગને આશ્ચર્ય થયું કે આખરે માંજરો શું છે. આ પછી આ મુદ્દો અલીગઢથી લખનૌ પહોંચ્યો. અલીગઢ કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટની એસઆઈબી ટીમએ દુકાનની તપાસ કરી, આ પછી બે દિવસ સુધી ત્યાં રહીને સાચી કે ખોટી છે તે સમજવાનો પ્રયાસ કર્યો.
વેપારીએ પોતે સ્વીકાર્યું કે દર મહિને લાખો રૂપિયાનું ટર્નઓવર છે
અધિકારીઓને લાગ્યું કે આ બાબત કંઇક ખોટી છે. આ પછી, વાણિજ્ય વિભાગની એક ટીમ 21 મી જૂને એક સર્વે કરવા પહોંચી.જ્યારે સર્વેક્ષણ અને તપાસ શરૂ થઈ, ત્યારે વેપારીએ દર મહિને લખો રૂપિયાનું ટર્નઓવરની વાત સ્વીકારી. આ ઉપરાંત, વેપારીએ ગ્રાહકોની દૈનિક સંખ્યા, કાચા માલસામાનની ખરીદી, રીફાઇન્ડ, ખાંડ અને ગેસ સિલિન્ડર ખર્ચ અંગે માહિતી આપી હતી. આ પછી, અધિકારી દુકાનદાર દ્વારા આપવામાં આવેલા એકાઉન્ટનું મૂલ્યાંકન કરવા માટે બેઠા ત્યારે વેપારીનું વાર્ષિક ટર્નઓવર 60 લાખ રૂપિયા કરતા વધુ આવ્યું હતું.
લાખોના ટર્નઓવર પછી પણ જીએસટીમાં નોંધાયેલ નથી
વેપારી માટે મુશ્કેલી ત્યારે ઉભી જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે વેપારી જીએસટીમાં નોંધાયેલ નથી. જ્યારે નિયમ કહે છે કે વેપારીનું ટર્નઓવર 40 લાખ રૂપિયાથી વધુ હોય તો જીએસટીમાં નોંધણી કરવી જરૂરી છે. માહિતી અનુસાર, જ્યારે પ્રાથમિક તપાસમાં ટર્નઓવરની રકમ 60 લાખથી વધુ મળી છે, તો સંપૂર્ણ તપાસ થયા પછી આ આંકડો 1કરોડ સુધી પહોંચી શકે છે. હાલમાં, એસઆઈબીએ વેપારીને નોટિસ આપી છે અને તપાસ શરૂ કરી છે.