દિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત
હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓને સજા અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
હૈદરાબાદ ગેંગરેપના ચારે આરોપીઓને પોલિસે એનકાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઈવે-44 પાસે થયુ છે. તમને જણાવી દઈ કે 27-28 નવેમ્બરની રાતે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલિસે ચારે આરોપીઓને ઠાર મારી દીધા છે. ત્યારબાદ આ ગેંગરેપના આરોપીઓને સજા અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

સ્વાતિ માલીવાલે આના પર સંતોષ વ્યક્ત કર્યો છે. માલીવાલ હાલમાં મહિલાઓ સામે થતા ગુનાઓને રોકવા વિવિધ માંગો માટે આમરણાંત ઉપવાસ પર છે. તેમના ઉપવાસનો શુક્રવારે ચોથો દિવસ છે. તમને જણાવી દઈએ કે હૈદરબાદરેપ કેસ બાદ જ માલીવાલ ઉપવાસ પર બેઠા હતા.
તમને જણાવી દઈએ કે હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓનુ એનકાઉન્ટર કરી દેવામાં આવ્યુ છે. ચારે આરોપી પોલિસ રિમાન્ડમાં હતા અને તેમને ગુરુવારે મોડી રાતે નેશનલ હાઈવે-44 પર ક્રાઈમ સીન પર લઈ જવામાં આવ્યા હતા. પોલિસ સૂત્રોનુ કહેવુ છે કે ક્રાઈમ સીન રિક્રિએટ કરવાની કોશિશ દરમિયાન આરોપીઓએ પોલિસ પાર્ટી પર હુમલો કરી દીધો અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગવાની કોશિશ કરી, ત્યારબાદ પોલિસે એનકાઉન્ટરમાં ચારે આરોપીઓને મારી દીધા. લાશોનુ પંચનામુ કરવામાં આવી રહ્યુ છે અને સ્થળ પર ભારે પોલિસ બળ તૈનાત છે. હાલમાં પોલિસે આ બધાના શબોને સ્થળ પરથી હટાવી લીધા છે જેથી કોઈ પણ પ્રકારનો હોબાળો ના થઈ શકે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
