CWC મીટિંગ શરૂ; તમામ સભ્યો આપી શકે છે રાજીનામા
નવી દિલ્હી, 19 મે : લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે કારમો પરાજય ભોગવનાર કોંગ્રેસ પાર્ટીએ આજે નવી દિલ્હીમાં તેની કારોબારી સમિતિની બેઠક યોજી છે. આ બેઠકમાં પાર્ટીની હારના કારણો અંગે સમીક્ષા થઈ રહી છે. આ સાથે બેઠકમાં કોંગ્રેસ કારોબારી સમિતીના તમામ સભ્યો રાજીનામા આપશે એવા ચર્ચા સાંભળવા મળી રહી છે.
નોંધનીય છે કે 16મી લોકસભા ચૂંટણીનું પરિણામ 16 મેના રોજ જાહેર થયું છે. જે અનુસાર 543 બેઠકોમાંથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠક મળી છે.

પાર્ટીના મુખ્યાલય ખાતે ચાલી રહેલી બેઠકમાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી, ઉપપ્રમુખ રાહુલ ગાંધી, વિદાય લેનાર વડા પ્રધાન મનમોહન સિંહ તથા અન્ય ટોચના નેતાઓ હાજર છે.
સોનિયાનાં રાજકીય સલાહકાર એહમદ પટેલનું કહેવું છે કે ચૂંટણીના પરિણામો માટે કોઈ એક વ્યક્તિને દોષ દઈ ન શકાય. આ તો પાર્ટી તથા સરકાર, બંનેની સહિયારી જવાબદારી છે.
બીજી તરફ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે પાર્ટીને મળેલા પરાજય માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના રાજીનામાની રજુઆત કરી શકે છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 206 બેઠકો મળી હતી.
સોનિયા અને રાહુલ ગાંધી ચૂંટણી પરિણામોના દિવસે મીડિયા સમક્ષ ઉભા રહ્યા હતા ત્યારે પાર્ટીની હારની જવાબદારી રાહુલે પણ સ્વીકારી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
