અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારને લાગ્યો તગડો ઝાટકો, સવાલ પૂછ્યા

અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારને લાગ્યો તગડો ઝાટકો, સવાલ પૂછ્યા

લખનઉઃ અલ્હાબાદ હાઈકોર્ટો અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પર એનઆરસી અને સીએએએના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે લાઠીચાર્જ મામલાના તપાસ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને સોંપી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને જસ્ટિસ વિવેક વર્માની ખંડપીઠે મોહમ્મદ અમન ખાન દ્વારા ગત વર્ષે 15 ડિસેમ્બરે એએમયૂમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવારી વિરુદ્ધ દાખલ જનહિત અરજીની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો છે.

allahabad high court

નાગરિકતા વિરોધી કાનૂનના સંચાલન માટે ઉત્તર પ્રદેશ સરકારની વધતી નારાજગીની વચ્ચે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયે રાજ્યની બગડતી કાનૂન વ્યવસ્થાના આરોપોની માહિતી મેળવવા માટે પગલાં ભર્યાં. મંગળવારે અલ્હાબાદ હોઈકોર્ટે અખબારોમાં છપાયેલ પોલીસ તરફથી કરવામાં આવેલ હિંસા, મોત અને ટોર્ચરના અહેવાલ પર માહિતી માંગતા રાજ્યની યોગી સરકારને નોટિસ મોકલી છે. સાથે જ કોર્ટે પૂછ્યું કે મામલામાં જ્યૂડિશિયલ ઈન્ક્વાયરીના આદેશ કેમ ના થયા. હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારનો તગડો ઝાટકો લાગ્યો છે.

આયોગને પાંચ અઠવાડિયામાં તપાસ પૂરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને આ મામલાને 17 ફેબ્રુઆરી માટે સૂચીબદ્દ કરવમાં આવ્યો છે. જણાવી દઈએ કે અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે એએમયૂના વિદ્યાર્થીઓ પર 15 ડિસેમ્બર 2019ના રોજ પોલીસ દ્વારા હિંસા વિરુદ્ધ જનહિત અરજી પર પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો અને ગત મંગળવારે ફેસલો સંભળાવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું એએમયૂમાં વર્ષ 2019ની 13 ડિસેમ્બરે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X