For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંબેડકર જયંતિ 2022: પીએમ મોદી, માયાવતીએ ડૉ. ભીમરાવ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી. લખનઉમાં બહુજન સમાજ પાર્ટી(બસપા) પ્રમુખ માયાવતીએ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, 'ડૉ. બાબાસાહેબને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે ભારતની પ્રગતિમાં અમિટ યોગદાન આપ્યુ છે. આ આપણા દેશ માટે તેમના સપાને પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતાનુ પુનરાવર્તન કરવાનો દિવસ છે.'

ambedkar jayanti

બસપા પ્રમુખ માયાવતીએ આંબેડકર જયંતિ પર ટ્વિટ કરીને કહ્યુ, 'બંધારણના શિલ્પી પરમપૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમના અનુયાયીઓ તરફથી તેમને કોટિ-કોટિ વંદન તેમજ હાર્દિક શ્રદ્ધા-સુમન. કરોડો નબળા તેમજ ઉપેક્ષિત વર્ગો તથા મહેનતી સમાજ વગેરેના હિત તેમજ કલ્યાણ માટે તેમના મહાન તેમજ ઐતિહાસિક યોગદાન માટે દેશ હંમેશા ઋણી તેમજ કૃતજ્ઞ.'

માયાવતીએ આગળ કહ્યુ, 'જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત વિરોધી પાર્ટીઓ તેમજ તેમની સરકારો ડૉ.બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષો તેમજ સંદેશોની કેટલી અવહેલના કરીને તેમના અનુયાયીઓ પર શોષણ, અન્યાય-અત્યાચાર તેમજ દ્વેષ વગેરે ચાલુ રાખે પરંતુ તેમના આત્મ-સમ્માન તેમજ સ્વાભિમાનનુ બસપા મૂવમેન્ટ અટકવાનુ કે ઝૂકવાનુ નથી.'

બસપા પ્રમુખે પોતાના ત્રીજા ટ્વિટમાં કહ્યુ કે જાતિવાદી સરકારો ઉપેક્ષિત વર્ગના નેતાઓને પોતાના સમાજનુ ભલુ કરવાની છૂટ નથી આપતી. જો કોઈ કંઈ કરવાનો પ્રયત્ન કરે તો તેને દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી દેવામાં આવે છે, આવુ જ અત્યાર સુધી અહીં થતુ આવ્યુ છે. માટે આ વર્ગોની સ્થિતિ હજુ સુધી મજબૂર તેમજ લાચાર છે, આ અતિ-દુઃખદ.

English summary
Ambedkar Jayanti 2022 PM Modi Mayawati offers tribute to Dr Bhim Rao Ambedkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X