કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?
કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના પ્રવાસ પર છે, જ્યાં રવિવારે તેમણે બાગલકોટ જિલ્લાના કરકલમટ્ટી ગામમાં કેદારનાથ શુગર એન્ડ એગ્રો પ્રોડક્સ લિમિટેડની ઈથેનૉલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના મેદાનમાં આયોજિત સાર્વજનિક રેલીને સંબોધિત કરી. આ દરમ્યાન તેમણે નવા કૃષિ કાયદાને ખોડૂતો માટે ફાયદાકારક ગણાવ્યો. સાથે જ કોંગ્રેસ પર પણ ભારે હુમલો બોલ્યો.

કોંગ્રેસ પર આક્રમક થયા અમિત શાહ
લોકોને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે તેવા કોંગ્રેસી નેતાઓને હું પૂછવા માંગું છું કે, તમે ખેડૂતોને 6000 રૂપિયા પ્રતિ વર્ષ કેમ ના આપ્યા. આ ઉપરાંત જ્યારે તમે સત્તામાં હતા ત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અથવા સંશોધિત ઈથેનોલ નીતિ કેમ ના બનાવી? કેમ કે તમારો ઈરાદો ખેડૂતોની ભલાઈનો નહોતો. તેમણે આગળ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોની આવક બમણી કરવમાં મદદરૂપ થશે. હવે ખેડૂતો દેશ અને દુનિયામાં ગમે ત્યાં કૃષિ ઉત્પાદન વેચી શકે છે.

અનુચ્છેદ 370નો પણ ઉલ્લેખ
અમિત શાહે આગળ કહ્યું કે કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાની હિંમત કોંગ્રેસમાં નહોતી. 5 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદીએ કાશ્મીરથી અનુચ્છેદ 370 અને 35Aને સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યું છે. આજે ત્યાં લોહીનું એક ટીપું વહાવ્યા વિના ચૂંટણી થઈ છે.

યેદિયુરપ્પા સરકાર કાર્યકાળ પૂરો કરશે
ઘણા સમયથી સમાચાર હતા કે ભાજપ હાઈકમાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના કામથી ખુશ નથી. જે કારણે મંત્રિમંડળનું વિસ્તરણ નથી થઈ રહ્યું. જે બાદ યેદિયુરપ્પા દિલ્હી પહોંચ્યા અને કેબિનેટનું વિસ્તરણ પણ થયું. શનિવારે પણ ગૃહમંત્રી અમિત શાહે યેદિયુરપ્પા સરકાર પર પૂરો ભરોસો જતાવ્યો. તેમણે કહ્યું કે બીએસ યેદિયુરપ્પાની સરકાર કર્ણાટકમાં પોતાનો કાર્યકાળ પૂરો કરશે. સાથે જ બીજીવાર જીતીને સત્તામાં વાપસી કરશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
