મોદીની 'બિગ' ડીલ: મોદીનો અવાઝ બનશે અમિતાભ
નવી દિલ્હી, 10 ઓગષ્ટ: અમિતાભ બચ્ચન હવે નરેન્દ્ર મોદીનું પણ બ્રાડિંગ કરશે. અત્યાર સુધી ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં દેખાનાર બિગ બીએ આ માટે હા કરી દિધું છે અને આ માટે કેટલા શૂટ પણ કરી લીધા છે. હવે આનાથી પ્રશ્ન થાય છે કે લોકપ્રિયતામાં નંબર વન હોવાનો દાવો કરનાર નરેન્દ્ર મોદીને આખરે અમિતાભના અવાઝની જરૂરિયાત કેમ પડી?
'કુછ દિન તો ગુજરીએ ગુજરાત મેં', અત્યાર સુધી ગુજરાતની પ્રશંસા કરનાર અને ગુજરાતમાં થોડા દિવસો રોકવવાની અપીલ કરનાર અમિતાભ બચ્ચન હવે નરેન્દ્ર મોદીની શાન માટે પણ કંઇક કહેશે. ''ખુશ્બુ ગુજરાત કી...'' હવે ખુશ્બુ મોદીના સુશાસનની, આ ચહેરો તૈયાર કરી લેશે આ વાત બૉલીવુડના મેગાસ્ટારના મોંઢેથી સાંભળવા મળશે.

અમિતાભ બચ્ચને નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જાહેરાત માટે પોતાનો અવાઝ આપવાની સંમતિ જાહેર કરી દિધી છે. વીડિયોમાં બિગ બીના અવાજમાં બતાવવામાં આવશે કે મોદી દેશના ભવિષ્યના નેતા છે જે દેશને વિકાસના માર્ગે લઇ જશે. આ પહેલાં ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં જ્યારથી અમિતાભ બચ્ચને લાવવામાં આવ્યાં તો ટૂરિઝમનો ચહેરો બદલાઇ ગયો. ગુજરાત દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે આ પ્રદેશમાં કંઇક તો ખાસ છે.
ખાસ વાત એ છે કે જ્યારે અમિતાભ બચ્ચને જ્યારે ગુજરાત ટૂરિઝમ માટે કામ કરવાનું કબૂલ કર્યું હતું, તો નરેન્દ્ર મોદીની નિકટતાને લઇને તેમની ટીકા કરવામાં આવી હતી. ત્યારે તેમને કહ્યું હતું કે પોતાના જ દેશના કોઇ પ્રદેશ માટે કામ કરવામાં શું વાંધો હોવો જોઇએ. પરંતુ હવે તો અમિતાભ બચ્ચન સીધેસીધી રીતે એક ચહેરાની વકિલાત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાનો પ્રયત્ન કર્યો નથી, પરંતુ પહેલાં મુલાયમ અને હવે અખિલેશ યાદવનો પ્રદેશ કેટલો બદલાઇ ગયો છે તે બધાની સામે જ છે.
હવે નરેન્દ્ર મોદીના પ્રમોશનમાં અમિતાભ કેટલા સફળ રહે છે તેનો અંદાજો તો પછી ખબર પડશે, પરંતુ નરેન્દ્ર મોદી-અમિતાભ બચ્ચનની આ જુગલબંધી પર રાજકીય પ્રહારો શરૂ થવામાં કદાચ સમય લાગશે નહી.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
