આંધ્ર પ્રદેશ ચૂના - પથ્થરની ખાણમાં મોટો અકસ્માત, વિસ્ફોટમાં 10 લોકોના મોત
આંધ્રપ્રદેશના કડપમાં એક ભયંકર અકસ્માત થયો છે. અહીં ચૂનાના પત્થરના વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. તે જ સમયે, વિસ્ફોટ પછી ઘણા લોકો કાટમાળની નીચે ફસાયેલા હોવાની પણ આશંકા છે. આ અકસ્માત શનિવારે સવારે ક
આંધ્રપ્રદેશના કડપમાં એક ભયંકર અકસ્માત થયો છે. અહીં ચૂનાના પત્થરના વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. તે જ સમયે, વિસ્ફોટ પછી ઘણા લોકો કાટમાળની નીચે ફસાયેલા હોવાની પણ આશંકા છે. આ અકસ્માત શનિવારે સવારે કલાસપડુ બ્લોકના મમિલાપલ્લે ગામમાં બન્યો હતો. તમામ મજુરો ખાણમાં કામ કરતા હતા.
પોરુમિલા પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ડિટોનેટર ખાણ સ્થળની અંદર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. મજુરોમાંથી મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડીના પૂર્વજ ગામ પુલિવેંદુલાના હોવાનું કહેવાય છે.
મળતી માહિતી અનુસાર વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આજુબાજુના ગામોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. દરમિયાન, સીએમ જગનમોહન રેડ્ડીએ અકસ્માતમાં મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માત અંગે સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી અને અકસ્માતની તપાસના આદેશ આપ્યા હતા. તેમણે બ્લાસ્ટ પીડિતોના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે.