અણ્ણા ‘મમતા શરણમ્ ગચ્છામી’, ગાઇ મમતા ‘ચાલિસા’
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના સમર્થનમાં આવેલા અણ્ણા હઝારેએ આજે પત્રકાર પરિષદમાં મુક્તકંઠ સાથે મમતાની પ્રશંસા કરી છે, તેમણે કહ્યું કે, એક રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં તેઓ ઘણી જ સાદગી સાથે પોતાનું જીવન વિતાવે છે. તે દેશની જનતા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, અનેક વાત દુઃખ મળવા છતાં તેઓ આજે પણ લોકો માટે કામ કરી રહ્યાં છે. અણ્ણાએ કહ્યું કે, મે આજ સુધી ક્યારેય પણ પક્ષ અને પાર્ટીનું સમર્થન કર્યું નથી, પરંતુ દેશ અને સમાજની ભલાઇ માટે દીદીનું સમર્થન કરી રહ્યો છું. મે મારા પત્રમાં જે 17 શરતોનો ઉલ્લેખ કર્યો છે, તેના પર માત્ર દીદી એ જ જવાબ આપ્યો છે.
અણ્ણાએ પોતાની કેટલીક શરતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકીય દળ કોઇપણ યોજના બનાવે, તે ગામડાંઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. અમે ઇચ્છીએ છીએ કે સરકાર મહત્વપૂર્ણ કામો સાથે જોડાયેલી ફાઇલોને બે વર્ષની અંદર સાર્વજનીક કરી દે. ખેડૂતોની જમીનોનું અધિગ્રહણ કરવામાં ના આવે. દેશમાં આજે આમ જનતા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. માત્ર પૂંજીપતિઓ માટે કામ કરવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે રાઇટ ટૂ રિજેક્ટ અને રાઇટ ટૂ રિકોલ બિલ લાવવામાં આવે.
બીજી તરફ મમતાએ કહ્યું કે, અમે એફડીઆઇનો વિરોધ એટલાં માટે કર્યો, કે અમે સામાન્ય દુકાનદારોની કમાણીને જોખમમાં મુકવા માગતા થી. આજે દેશને રાજકીય અને આર્થિક રીતે સ્થિરતા આપે તેવી સરકાર જોઇએ છે. તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન કોણ હશે, તેનો નિર્ણય ચૂંટણી પછી આવી જશે.
મમતાએ કહ્યું કે દેશમાં એક વિશ્વસનીય અને મજબૂત સરકારની જરૂર છે. અણ્ણાએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, હું ના અરવિંદ કેજરીવાલને સમર્થન કરીશ અને ના તો હું નરેન્દ્ર મોદીને સમર્થન કરીશ. હું કેજરીવાલની વિરોધમાં નથી, હું કોઇ ઝઘડો ઇચ્છતો નથી. અણ્ણાએ આ પ્રશ્ના જવાબ દરમિયાન મમતા બેનરજીને પરોક્ષ રીતે વડાપ્રધાન પદ માટે યોગ્ય વ્યક્તિ ગણાવી દીધી.
anna hazare
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના સમર્થનમાં આવેલા અણ્ણા હઝારેએ આજે પત્રકાર પરિષદમાં મુક્તકંઠ સાથે મમતાની પ્રશંસા કરી છે, તેમણે કહ્યું કે, એક રાજ્યના મુખ્યમંત્રી હોવા છતાં તેઓ ઘણી જ સાદગી સાથે પોતાનું જીવન વિતાવે છે. તે દેશની જનતા માટે સંઘર્ષ કરી રહ્યાં છે, અનેક વાત દુઃખ મળવા છતાં તેઓ આજે પણ લોકો માટે કામ કરી રહ્યાં છે.
anna hazare
અણ્ણાએ કહ્યું કે, મે આજ સુધી ક્યારેય પણ પક્ષ અને પાર્ટીનું સમર્થન કર્યું નથી, પરંતુ દેશ અને સમાજની ભલાઇ માટે દીદીનું સમર્થન કરી રહ્યો છું. મે મારા પત્રમાં જે 17 શરતોનો ઉલ્લેખ કર્યો છે, તેના પર માત્ર દીદી એ જ જવાબ આપ્યો છે
anna hazare
અણ્ણાએ પોતાની કેટલીક શરતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકીય દળ કોઇપણ યોજના બનાવે, તે ગામડાંઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. અમે ઇચ્છીએ છીએ કે સરકાર મહત્વપૂર્ણ કામો સાથે જોડાયેલી ફાઇલોને બે વર્ષની અંદર સાર્વજનીક કરી દે. ખેડૂતોની જમીનોનું અધિગ્રહણ કરવામાં ના આવે. દેશમાં આજે આમ જનતા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. માત્ર પૂંજીપતિઓ માટે કામ કરવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે રાઇટ ટૂ રિજેક્ટ અને રાઇટ ટૂ રિકોલ બિલ લાવવામાં આવે.
mamata banerjee
બીજી તરફ મમતાએ કહ્યું કે, અમે એફડીઆઇનો વિરોધ એટલાં માટે કર્યો, કે અમે સામાન્ય દુકાનદારોની કમાણીને જોખમમાં મુકવા માગતા થી. આજે દેશને રાજકીય અને આર્થિક રીતે સ્થિરતા આપે તેવી સરકાર જોઇએ છે. તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાન કોણ હશે, તેનો નિર્ણય ચૂંટણી પછી આવી જશે.
mamata banerjee
મમતાએ કહ્યું કે દેશમાં એક વિશ્વસનીય અને મજબૂત સરકારની જરૂર છે. અણ્ણાએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, હું ના અરવિંદ કેજરીવાલને સમર્થન કરીશ અને ના તો હું નરેન્દ્ર મોદીને સમર્થન કરીશ. હું કેજરીવાલની વિરોધમાં નથી, હું કોઇ ઝઘડો ઇચ્છતો નથી. અણ્ણાએ આ પ્રશ્ના જવાબ દરમિયાન મમતા બેનરજીને પરોક્ષ રીતે વડાપ્રધાન પદ માટે યોગ્ય વ્યક્તિ ગણાવી દીધી.