રાજકીય પક્ષ રચી પરિવર્તન લાવવું શક્ય નથી : અણ્ણા હઝારે

Anan Hazare - Arvind Kejariwal
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર : દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા મુદ્દે જન લોકપાલ બિલ લાવવા માટેના આંદોલનનું નેતૃત્વ સંભાળનારા અણ્ણા હઝારેએ રાજકીય પક્ષ રચવા મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરતા શુક્રવાર, 14 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે 'રાજકારણ કોઇ પરિવર્તન લાવી શકે એમ નથી.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની ચરવળમાં સફળતા મેળવવાના ભાગ રૂપે ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષની રચના કરવી જરૂરી નથી એમ એક મોટા વર્ગનું માનવું છે.

મહારાષ્ટ્રના રાલેગાંવમાં પોતાના સમર્થકોને જણાવતા હઝારેએ કહ્યું કે 'તેઓ ચૂંટણી લડવા કે રાજકીય પક્ષની રચના કરવામાં રસ ધરાવતા નથી.' અન્ના હઝારેના સમર્થકો પણ નથી ઇચ્છતા કે અન્ના હઝારે ચૂંટણી લડે અને રાજકીય પક્ષની રચના કરે.

અણ્ણા હઝારેની ટિપ્પણી તેમની જ ટીમના સભ્ય અરવિંદ કેજરીવાલ સાથે વિરોધાભાસ સર્જે છે. અરવિંદ કેજરીવાલ હાલ રાજકીય પક્ષ રચવા અંગે લોકોના મંતવ્યો જાણવા માટે સર્વે કરાવી રહ્યા છે. ટીમ અન્ના વર્તમાન રાજકીય સ્થિતિ અંગે વિરોધાભાસમાં આવી ગઇ છે.

તાજેતરમાં અણ્ણા હઝારેએ એક વિડિયોમાં જણાવ્યું હતું કે સંસદમાં સારા અને વફાદાર પ્રતિનિધિઓને મોકલવા જોઇએ. આ માટે મતદાનનું પ્રમાણ 90 ટકા સુધી પહોંચવું જોઇએ. આ સિધ્ધિ કેવી રીતે મેળવી શકાય? અમે કોઇ પક્ષ કે જૂથ સાથે સંકળાયેલા નથી. ચળવળમાં સંકળાયેલા સભ્યો પણ તેમના સ્થાને જ રહ્યા છે. ચળવળથી જે પરિવર્તન લાવી શકાય છે તે રાજકીય પક્ષ રચીને લાવી શકાય એમ નથી. હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X