દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુએ કેજરીવાલ-શરદ યાદવ સાથે કરી મુલાકાત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી.
આગામી લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી ત્રીજા મોરચા અંગે કવાયત ઝડપી બનતી જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી. ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રની ભાજપ સરકાર સામે એકજૂથ કરવાની કોશિશમાં લાગેલા છે અને તેમનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની ટીડીપી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે.

સૂત્રોએ જણાવ્યુ કે ચંદ્રબાબુ નાયડુ લેફ્ટના નેતાઓ ઉપરાંત એનડીએ સિવાયના શાસનવાળા રાજ્યોના સીએમને પણ મળી શકે છે જેથી મોદી સરકાર પર દબાણ બનાવી શકાય. તેમણે રાજ્યપાલ ઈએસએલ નરસિંહન પર વાયએસઆર કોંગ્રેસ નેતા જગમોહન રેડ્ડી પર હુમલા મામલે રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે એરપોર્ટ પર અમુક લોકોએ જગમોહન રેડ્ડી પર હુમલો કર્યો. ત્યાંની સુરક્ષાની જવાબદારી CISF ની છે. તેમણે અમને એ વ્યક્તિને સોપ્યા પરંતુ ભાજપ હવે અમારી સરકાર પર જ આરોપ લગાવી રહી છે.
Opposition leader (Jagan Mohan Reddy) came at Visakhapatnam airport. Some person attacked him with knife. Airport is under Central Industrial Security Force. After some time, they handed over that fellow & our ppl took him into custody. But BJP accused TDP govt: Andhra Pradesh CM pic.twitter.com/zijVnXOEbF
— ANI (@ANI) 27 October 2018
ચંદ્રબાબુ નાયડુએ જગમોહન રેડ્ડી પર હુમલા મામલે મોડી રાતે મીડિયા સામે આવીને નિવેદન આપ્યુ હતુ કે ગવર્નર દ્વારા ડીજીપીની ઘટનાનો રિપોર્ટ આપવાના આદેશ પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકાર સામે ષડયંત્રનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યને અસ્થિર કરવા માટે બિહાર અને અન્ય રાજ્યોમાંથી ગુંડાઓને લાવવામાં આવી રહ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
