દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુએ કેજરીવાલ-શરદ યાદવ સાથે કરી મુલાકાત
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી.
આગામી લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી ત્રીજા મોરચા અંગે કવાયત ઝડપી બનતી જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદયાદવ સાથે મુલાકાત કરી. ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રની ભાજપ સરકાર સામે એકજૂથ કરવાની કોશિશમાં લાગેલા છે અને તેમનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની ટીડીપી સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહી છે.
આ પણ વાંચોઃ કેવી રીતે શ્રીલંકા સહિત ભારતના પડોશી દેશોને પોતાના પ્રભાવમાં લઈ રહ્યુ છે ચીન
સૂત્રોએ જણાવ્યુ કે ચંદ્રબાબુ નાયડુ લેફ્ટના નેતાઓ ઉપરાંત એનડીએ સિવાયના શાસનવાળા રાજ્યોના સીએમને પણ મળી શકે છે જેથી મોદી સરકાર પર દબાણ બનાવી શકાય. તેમણે રાજ્યપાલ ઈએસએલ નરસિંહન પર વાયએસઆર કોંગ્રેસ નેતા જગમોહન રેડ્ડી પર હુમલા મામલે રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે એરપોર્ટ પર અમુક લોકોએ જગમોહન રેડ્ડી પર હુમલો કર્યો. ત્યાંની સુરક્ષાની જવાબદારી CISF ની છે. તેમણે અમને એ વ્યક્તિને સોપ્યા પરંતુ ભાજપ હવે અમારી સરકાર પર જ આરોપ લગાવી રહી છે.
Opposition leader (Jagan Mohan Reddy) came at Visakhapatnam airport. Some person attacked him with knife. Airport is under Central Industrial Security Force. After some time, they handed over that fellow & our ppl took him into custody. But BJP accused TDP govt: Andhra Pradesh CM pic.twitter.com/zijVnXOEbF
— ANI (@ANI) 27 October 2018
આ પણ વાંચોઃ બંદરોથી આ વ્યક્તિને છે એવો લગાવ, પોતાના હાથે ખવડાવે છે 1700 રોટલીઓ
ચંદ્રબાબુ નાયડુએ જગમોહન રેડ્ડી પર હુમલા મામલે મોડી રાતે મીડિયા સામે આવીને નિવેદન આપ્યુ હતુ કે ગવર્નર દ્વારા ડીજીપીની ઘટનાનો રિપોર્ટ આપવાના આદેશ પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકાર સામે ષડયંત્રનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યને અસ્થિર કરવા માટે બિહાર અને અન્ય રાજ્યોમાંથી ગુંડાઓને લાવવામાં આવી રહ્યા છે.