For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેના આપશે હેમરાજના પરિવારને પુરતો હકઃ આર્મી ચીફ

By Super
|
Google Oneindia Gujarati News

army-chief
મથુરા, 16 જાન્યુઆરીઃ શહીદ લાન્સ નાયક હેમરાજના પરિવારને મળવા માટે બુધવારે સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ ઉત્તર પ્રદેશના મથુરા પહોંચ્યા હતા. પરિવારને મળીને તેમણે કહ્યું કે, તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને તેમને પુરતો હક અપાવવામાં આવશે. પત્ની સુરજીત કૌર સાથે મથુરા જિલ્લા મુખ્યાલયથી અંદાજે 60 કિમી દૂર હેમરાજના ગામ શેરનગર પહોંચેલા સેનાધ્યક્ષ જનરલ સિંહે કહ્યું કે, મે હેમરાજના પરિવારને જણાવ્યું છે કે તે અમારા પરિવારનો હિસ્સો છે. સેના અને આખો દેશ તેમના સપૂતની કુરબાનીની કદર કરે છે અને હંમેશા કરતા રહેશે.

જનરલે કહ્યું કે, મારું આશ્વાસન છે કે શહીદ હેમરાજના પરિવાર તરફથી જે માંગ હશે, તેને સેના પૂરી કરશે. પરિજનોને તેમનો હક અપાવવામાં આવશે. સેના પ્રમુખ ત્યાં 20 મીનિટ રોકાયા હતા. તેમણે કહ્યું કે, પરિજનોની કેટલીક માંગો અને ગામના વિકાસને લઇને તે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે વાતચીત કરશે. પરિજનોએ ગામમાં હેમરાજની મૂર્તિ સ્થાપિત કરવાની માંગ પણ કરી છે. સાથે જ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની પણ માંગ કરી છે. આ અંગે પૂછવામાં આવતા સેનાધ્યક્ષે કહ્યું કે સેના પોતાનું કામ કરી રહી છે.

જનરલ સિંહે પાકિસ્તાનના એ દાવાનો ઇન્કાર કર્યો કે ભારતીય સેનાના હુમલામાં તેમના એક સૈનિકનું મોત નીપજ્યું છે. સેના પ્રમુખે કહ્યું કે, જો પાકિસ્તાનનો કોઇ સૈનિક માર્યો ગયો હશે તો તે જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો હશે. ભારતીય સૈનિક એલઓસી પાર નથી કરતા. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારના એ નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના સંબંધો બે દશકાઓ પાછળ જતા રહ્યાં છે. સેના પ્રમુખે કહ્યું કે, મને એ અંગે કોઇ જાણકારી નથી.

English summary
The chief of Army Staff, General Bikram Singh, met the family members of Lance Naik Hemraj at Shernagar village of Mathura district on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X