જાતિગતઆરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી
જાતિગતઆરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો દાવ રમતાં સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા આરક્ષણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે આ આદેશને મંજૂરી અપાવવા માટે આજે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજૂ કર્યું. આ બિલ પર સંસદમાં ચર્ચા કરવામાં આવી. બિલ પર બોલતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, આજ સુધી કેટલીય સરકારો આવી જેમણે બિનઆરક્ષિત વર્ગોને આરક્ષણ આપવાની વાત કહી હતી પરંતુ યોગ્ય રસ્તો નહોતો અપનાવ્યો.

50 ટકા આરક્ષણની સીમા જાતિગત હતી
વિપક્ષી દળોએ આ આરક્ષણને સરકારનું જુમલામ કહેવા પર જેટલીએ કહ્યું કે બિનઆરક્ષિત વર્ગોને આરક્ષણ આપવાના જુમલા તો વિપક્ષોએ આપ્યા હતા, કેમ કે આર્થિક આધાર પર હજુ સુધી યોગ્ય રીતે આરક્ષણ આપવાની કોશિશ કરવામાં આવી નથી. અરુણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસે 2014ના પોતાના ઘોષણાપત્રમાં આર્થિક રૂપે પછાત વર્ગો માટે આરક્ષણનું સમર્થન કરવાની વાત કહી હતી. જેટલીએ સંવિધાનમાં 50 ટકા આરક્ષણના સમર્થનની વાત કહી હતી. જેટલીએ કહ્યું કે સંવિધાનમાં 50 ટકા આરક્ષણની સીમા સામાજિક રીતે પછાત વર્ગો માટે લાગુ છે, આર્થિક રીતે પછાત લોકો માટે આ સીમાદર લાગુ નથી. જાતિ આધારિત આરક્ષણ પર પણ ખાનગી સંસ્થાઓમાં આરક્ષણ માટે આ શબ્દાવલી જ હતી જે આ બિલમાં છે.

આર્થિક રીતે ભેદભાવ ખતમ કરવાની કોશિશ
અરુણ જેટલીએ કહ્યું શરૂઆતાં જે સંવિધાન બનાવવામાં આવ્યું હતું તેમાં સેક્યુલર શબ્દ નહોતો. બાદમાં જોવામાં આવ્યો પરંતુ તેમાં બે મહત્વના શબ્દ હતા, 'ન્યાય' અને 'સમાન અવસર ઉપલબ્ધ કરાવવો' છે. પહેલું આરક્ષણ એસસી-એસટી સમુદાય માટે થયું હતું, ઓબીસીને આરક્ષણ આપવામાં આવ્યું તે સમયે ભારે વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે સામાનિજ અને આર્થિક રીતે ભેદભાવ ખતમ કરવાની કોશિશ આ બિલ દ્વારા કરવામાં આવી રહી છે.

કમ્યુનિસ્ટ વિરોધ કરી રહ્યા છે
તેમણે કહ્યું કે આજે બધા જ નાગરિકને સમાન અવસર આપવાની જરૂરત છે. આર્થિક આધાર પર આરક્ષણ 50 ટકાથી વધુ હોય શકે છે કેમ કે તે જાતિગત આરક્ષણથી અલગ છે. અરુણ જેટલીએ કહ્યું કે રાજ્યોએ પણ આરક્ષણ આપવાની કોશિશ કરી પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં જઈને રહી ગયા. આના માટે યોગ્ય રસ્તો ન અપનાવ્યો. તેમણે કહ્યું કે ફરિયાદો કરીને બિલના સમર્થનની જરૂરત નથી, જો સમર્થન કરવું જ હોય તો ખુલ્લા દિલથી આ બિલનું સમર્થન કરો. તેમણે કહ્યું કે ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ગરીબોને કંઈક આપવામાં આવી રહ્યું છે અને કમ્યુનિસ્ટ તેનો વિરોધ કરી રહ્યા છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
