For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે કેજરીવાલે બેલ બોન્ડનું કોર્ટનું સૂચન સ્વીકાર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આ કેસમાં જામીન મેળવી શકાય તે માટેના પર્સનલ બોન્ડ સુપરત કરવા દિલ્હી હાઈ કોર્ટના સૂચનનો આજે સ્વીકાર કર્યો છે.

ન્યાયમૂર્તિઓ કૈલાશ ગંભીર અને સુનિતા ગુપ્તાની વિભાગીય બેન્ચે કેજરીવાલે તેમને અદાલતી કસ્ટડીમાં રાખવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી નોંધાવેલી અરજી પરની સુનાવણી વખતે કેજરીવાલને કહ્યું હતું કે તમે બોન્ડની રકમ ન ચૂકવી જેલમાં જ રહેવાને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવો. તમારે પહેલા જામીન મેળવી લેવા જોઈએ. ન્યાયાધીશોએ કેજરીવાલને કહ્યું હતું કે તમે પર્સનલ બોન્ડ રજૂ કરો અને જેલમાંથી છૂટકારો મેળવવો જોઇએ.

arvind-kejriwal

આજે સવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી ન હતી. કોર્ટે જામીન અરજીની સુનવણી કરતા સમયે જામીન બોન્ડ ભરવાનો જ આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે ભાજપના નેતા નીતિન ગડકરી સામે માનહાનિના કેસમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.

કેજરીવાલને એ સમયે જેલ મોકલવામાં આવ્યા હતા, જ્યારે તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા માનહાનિ કેસમાં બેલ બોન્ડની રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને કાયદાની ખોટી વ્યાખ્યા કરીને ખોટી રીતે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

આ અરજી તેમના વકીલ પ્રશાંત ભૂષણે ન્યાયાધિશ બી ડી અહેમદ અને એસ મૃદુલની પીઠ સમક્ષ નોંધાવી હતી. પીઠે જણાવ્યું કે આ અરજી પર આગલી સુનવણી આવતા મંગળવારે કરવામાં આવશે. આ અરજીમાં મેજિસ્ટ્રેટ અદાલતના 21 મે અને 23 મેના નિર્ણયોની પડકારવામાં આવ્યા હતા, જેમાં કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમ કરવું જરૂરી નથી. તેમને લેખિતમાં સોગંદનામુ આપવાની અનુમતિ આપવી જોઇતી હતી. કેજરીવાલની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો આ કેસ ભાજપના નેતા નીતિન ગડકરીએ નોંધાવ્યો હતો.

English summary
Arvind Kejriwal accepted suggestion of High Court;
 furnish personal bond to get bail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X