શું અટલ બિહારી વાજપાયી બનાવા માગે છે કેજરીવાલ?
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ ફરી એકવાર દિલ્હીની સત્તામાં નાટકનો દોર શરૂ થઇ ગયો છે. ફિલ્મી હીરોની જેમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવીલે રવિવારે મીડિયા સામે કહ્યું કે, જો લોકપાલ બિલ અને સૃરાજ્ય બિલ પાસ નહીં થાય તો તે તત્કાળ પોતાનું પદ છોડી દેશે પરંતુ મારા રાજીનામાંનો બદલો દેશની આમ જનતા લેશે અને લોકસભા ચૂંટણીમાં તેમને તેમની ઓકાત ખબર પડી જશે.

કેજરીવાલના આ પ્રકારના વલણને જોઇને રાજકીય પંડિતોને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની યાદ આવી રહી છે, જે પોતાની વાત માનવામાં ના આવતી તો હંમેશા રાજીનામું આપવાના વાત કરતા હતા, જેના કારણે તેમના વિરોધી બેકફૂટ પર જોવા મળતાં હતા.
કેજરીવાલનો અંદાજ પણ થોડોક એવો જ છે, પરંતુ તેમના અને અટલ બિહારી વાજપાયીમાં જમીન આસમાનનું અંતર છે. જ્યાં અટલજીએ 30 વર્ષ રાજકારણમાં વિત્યા બાદ સત્તાનો સ્વાદ ચાખ્યો હતો, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે માત્ર 11 મહિનામાં સત્તા હાંસલ કરી છે. અટલ બિહારી જાણતા હતા કે તેમને ગુસ્સો ક્યાં અને ક્યારે અને કેવો દર્શાવવાનો છે, જ્યારે કેજરીવાલ પોતાની દરેક નિષ્ફળતાને પોતાના ગુસ્સા સાથે જોડી દે છે, જે હવે પ્રભાવહીન લાગે છે.
ત્રીજું સૌથી મહત્વનું અંતર એ છે કે અટલજીના ગુસ્સાથી તેમના ગઠબંધનને અસર થતી હતી, કારણ કે, એનડીએ જાણતું હતું કે અટલ બિહારી વગર સત્તામાં રહેવું અશક્ય છે, ભલે પાર્ટીમાં ભાજપને લઇને મતભેદ હોય પરંતુ અટલજી પર બધા એકમત હતા, પરંતુ કેજરીવાલની ગઠબંધન સરકારમાં તો કેજરીવાલ પોતાના ગઠબંધન મિત્ર પાર્ટી પર જ ઝેર ઓકી રહ્યાં છે, જેના કારણે કોંગ્રેસ જ તેમને પાગલ સાબિત કરવામાં લાગેલી છે.
હાલ તો દિલ્હીની સત્તામાં આગ ભડકી છે, હવે જોવાનું એ રહ્યું કે, આ આગ ક્યારે ઠંડી પડે છે અને કેજરીવાલ પોતાની વાત ના મનાય તો રાજીનામું આપે છે કે નહીં? જો તે ખરેખર રાજીનામું આપે છે તો દિલ્હીની રાજકીય સ્થિતિ શું થશે? અને દિલ્હીવાસીઓના એ સ્વપ્નોનું શું થશે જે કેજરીવાલે તેમને દર્શાવ્યા હતા?
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
