હું ખુશ છુ કે મારો દીકરો ટેલરના દીકરા સાથે આઈઆઈટીમાં ભણશેઃ અરવિંદ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે મંગળવારે કહ્યુ કે તેમની સરકારની ફ્રી કોચિંગ યોજના હેઠળ એક ટેલરના દીકરાને દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવારે મંગળવારે કહ્યુ કે તેમની સરકારની ફ્રી કોચિંગ યોજના હેઠળ એક ટેલરના દીકરાને દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો એટલુ જ નહિ તેમણે કહ્યુ કે હું ખુશ છુ કે મારો દીકરો પણ ટેલરના દીકરા સાથે ભણશે. કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે વિજય કુમારના પિતા ટેલર છે, તેની મા ઘર સંભાળે છે. હું એ વાતથી ઘણો ખુશ છુ કે તેને આઈઆઈટી દિલ્લીમાં પ્રવેશ મળી ગયો છે અને આ દિલ્લીની સરકારની ફ્રી કોચિંગની સુવિધાના કારણે થઈ શક્યુ છે આ બાબા સાહેબનુ સપનુ હતુ જેને દિલ્લી સરકારે પૂરુ કર્યુ છે.

કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે હું બહુ ખુશ છુ કે મારો દીકરો એ જ આઈઆઈટી કોલેજમાં ટેલરના દીકરા સાથે ભણશે. એવી પરંપરા રહી છે કે ગરીબનો દીકરો ગરીબ જ રહે છે કારણકે તેને સારુ શિક્ષણ મળી શકતુ નથી. પરંતુ સારા શિક્ષણ અને ટ્રેનિંગ દ્વારા અમે આ તફાવટ મિટાવવાની કોશિશ કરી રહ્યા છે કે જે ગરીબ અને અમીર વચ્ચે છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલના પુત્ર પુલકિતે 96.4 ટકા ગુણ સીબીએસઈ 12માં ધોરણમાં મેળવ્યા છે. ત્યારબાદ તેણે આઈઆઈટી જેઈઈની પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી હતી.
તમને જણાવી દઈએ કે સિવિલ સેવામાં આવતા પહેલા અરવિંદ કેજરીવાલે પણ આઈઆઈટી ખડગપુરથી અભ્યાસ કર્યો હતો. દિલ્લીમાં શિક્ષણના ક્ષેત્રને વધુ સારુ બનાવવુ એ શરૂઆતથી જ દિલ્લી સરકારની પ્રાથમિકતા રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં દિલ્લી સરકારની ઘણી પ્રશંસા થઈ છે. સરકાર સતત શિક્ષણના સ્તરને સારુ કરવામાં લાગેલી છે. દિલ્લીમાં હેપ્પીનેસ ક્લાસની શરૂઆત દિલ્લી સરકારે કરી હતી જેમાં છાત્રોને તણાવથી દૂર રહેવાની ટ્રેનિંગ આપવામાં આવે છે જેની પ્રશંસા તમામ રાજકીય દળો, શિક્ષણવિદોએ કરી છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
