ગુજરાત બાદ પંજાબ જશે કેજરીવાલ, પૂર્વ IPS અધિકારીને પાર્ટીમાં જોડી શકે
ગુજરાત બાદ પંજાબ જશે કેજરીવાલ, પૂર્વ IPS અધિકારીને પાર્ટીમાં જોડી શકે
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21 જૂન સોમવારે પંજાબનો પ્રવાસ ખેડશે. નવ વર્ષ જૂના સંગઠન આમ આદમી પાર્ટી આગલા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં પોતાની હાજરૂ વધારવાની કોશિશ કરી રહ્યો છે. કેજરીવાલનો આ પ્રવાસ તેમના ગુજરાત પ્રવાસની થોડા દિવસ બાદ જ થવા જઈ રહ્યો છે. બંને જ રાજ્યોમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે.

પાછલા ત્રણ મહિનામાં કેજરીવાલનો આ બીજો પ્રવાસ છે. પંજાબ પ્રવાસ પહેલાં અરવિંદ કેજરીવાલે પંજાબમાં ટ્વીટ કરી કહ્યું, પંજાબ બદલાવ ઈચ્છ છે. માત્ર આમ આદમી પાર્ટી જ ઉમ્મીદ છે. કાલે અમૃતસરમાં મળીએ છીએ.
આ યાત્રા દરમિયાન કેજરીવાલ પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહને પાર્ટીમાં સામેલ કરાવી શકે છે. કુંવર વિજય પ્રતાપ સિંહ 2015માં કોટકપુરમાં પોલીસ ફાયરિંગ ઘટનાની તપાસ કરનાર વિશેષ તપાસ દળ (SIT)ના ભાગ હતા.
જો કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમના રિપોર્ટને ફગાવી દીધા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. હાઈકોર્ટે ચાર્જશીટ ફગાવતા એમ પણ સવાલ ઉઠાવ્યો હતો કે અધિકારીએ કેવા પ્રકારની તપાસ કરી છે?
કોર્ટે આઈજી સિંહની ભૂમિકા પર કહ્યું હતું, 'પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એસઆઈટીની શક્તિને પૂરી રીતે હડફ કરી વ્યક્તિગત દ્વેષ અને દૂર્ભાગ્યપૂર્ણ કામકાજને રેકોર્ડ પર વિધિવત પ્રદર્શન કરવામાં માટે કરાયો છે.' કોર્ટે એમ પણ કહ્યું કે અદાલત સામે એવું પ્રદર્શિત કરવામાં આવ્યું કે તેઓ સાક્ષીઓના નિવેદનને પોતાની ડિઝાઈન અનુરુપ બનાવવાની હદ સુધી ચાલ્યા ગયા છે.
ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે, 'આઈજીપી સિંહે અસાવધાની પૂર્વક તપાસ કરી છે. તેમના દ્વારા 173 સીઆરપીસી (ચલાન) અંતર્ગત દાખલ કરવામાં આવેલ રિપોર્ટ સામગ્રી અથવા સબૂત પર આધારિત હોવાની સરખામણીએ તેમની માન્યતાઓ અને કલ્પનાઓ પર આધારિત એક પરિકલ્પનાની પ્રકૃતિમાં વધુ પ્રતિત થાય છે.'












Click it and Unblock the Notifications
