For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુસ્તાની હોવાના કારણે હું નથી ઇચ્છતો કે મોદી PM બને: અમર્ત્ય સેન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જુલાઇ: નોબલ પુરસ્કાર વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્યસેને જણાવ્યું કે એક ભારતીય હોવાના નાતે તેઓ બીજીપી ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રીના રૂપમાં જોવા જોઇએ નહીં.

ન્યૂઝ ચેનલ સીએનએન-આઇબીએનને આપેલા એક ખાસ ઇન્ટર્વ્યૂમાં અમર્ત્યસેને જણાવ્યું કે 'એક હિન્દુસ્તાનીના રૂપમાં એવું નથી ઇચ્છતા કે મોદી પ્રધાનમંત્રી બને. તેમણે લઘુમતિઓને સુરક્ષાની અનુભૂતિ કરાવવાનો પૂરતો પ્રયાસ કર્યો નથી.' તેમણે વિકાસના મોદીના મોડલની ટીકા કરી.

તેમણે જણાવ્યું કે તેઓ મોદીના વિકાસ મોડેલના પક્ષમાં નથી. મહત્વની વાત એ છે કે સેને બિહારના વિકાસ મોડલના વખાણ કરતા જણાવ્યું કે વિકાસને સામાજિક ફેરફારોથી અલગ રાખીને ના જોવું જોઇએ.

amartya sen
સેનનો ગુજરાત મોડલના બદલે બિહાર મોડલના વખાણ કરવા રાજનૈતિક રીતે પણ મહત્વ માનવામાં આવે છે, કારણ કે 2014ના સામાન્ય ચૂંટણીમાં આ સવાલ મુખ્ય રીતે ઉઠી રહ્યો છે કે વિકાસનું કયું મોડેલ આ દેશ માટે સારું રહેશે. એક છે ઇનક્લૂસિવ મોડલ જેનો દાવો કેન્દ્રની યુપીએ સરકાર અને બિહારની નીતિશ સરકાર કરી આવી છે. કે પછી બીજું મોડેલ જેમાં ઉચ્ચ વિકાસદરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે કારણ કે તેને જ ગરીબી નિવારણનો ઉપાય માનવામાં આવે છે.

English summary
As an Indian citizen, I don't want Modi as my PM said Amartya Sen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X