અસમમાં આવ્યું ભયંકર પૂર, 19 હજાર લોકો થયા પ્રભાવિત
ગુવાહાટી, 23 જૂન: એક તરફ છત્તીસગઢમાં છેલ્લા 48 કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે બીજી તરફ અસમમાં પૂરનું તાંડવ શરૂ થઇ ગયું છે. આ પૂરને પગલે 19 હજારથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે.
અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર બરપેટા, ધેમાજી, ટિંસુકિયા, મોરીગાવ અને લખીમપુરના લગભગ 62 ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે.
રાજ્યમાં વહેનારી બ્રહ્મપુત્ર નદી બંને કાંઠે વહેવા લાગી છે, જેના પગલે લગભગ 1600 હેક્ટરની ખેતી બર્બાદ થઇ ગઇ છે. અત્યાર સુધી રાજ્યમાં પૂરના કારણે ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે.
જોરહાટના નેમાટીઘાટ પર બ્રહ્મપુત્ર નદી ખતરાના નિશાનાથી ઉપર વહી રહી છે. તેમની ઉપનદી જિયા બરાલી એનટી રોડ ક્રોસિંગ પર ખતરાના નિશાનાની ઉપર છે.
તસવીરોમાં જુઓ પૂરે કેવી સર્જી છે તારાજી...
અસમમાં પૂર
અસમમાં હાલમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં મોરીગામની હાલત ખૂબ જ ગંભીર છે.
અસમનું બોઇંગ ગામ
અસમના આ ગામમાં પુલ તૂટી જવાના કારણે ગામવાળાઓનો સંપર્ક પણ તૂટી ગયો.
ઘણા ગામોની વાહન વ્યવહારની સેવા ઠપ
અસમમાં ઘણા ગામોની વાહન વ્યવહારની સેવા ઠપ થઇ ગઇ છે, તેમ જ તેમની સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
હાલમાં અસમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે
અસમની હાલત ખૂબ જ ખરાબ છે, ઘણા ગામ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
ગયુ અસમ પાણીમાં!
અસમમાં પૂરનું ભયાનક સ્વરૂપ આપ અત્રે જોઇ શકો છો