યુપી સહીત ભારતના ઘણા હિસ્સામાં તોફાનનો કહેર, 12 લોકોની મૌત
ઉત્તરપ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં ફરી એકવાર તોફાને કહેર મચાવ્યો છે. જેના કારણે 12 લોકોની મૌત થઇ ચુકી છે અને 22 લોકો ઘાયલ થયા છે.
ઉત્તરપ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં ફરી એકવાર તોફાને કહેર મચાવ્યો છે. જેના કારણે 12 લોકોની મૌત થઇ ચુકી છે અને 22 લોકો ઘાયલ થયા છે. આંધી અને વરસાદને કારણે સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશ પર થયી છે જ્યાંથી 11 લોકોના મરવાની ખબર છે. તેના સિવાય તોફાને આસામમાં પણ ઘણું નુકશાન પહોચાડ્યું છે. અહીં પણ તોફાનને કારણે 1 વ્યક્તિની મૌત થયી છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

યુપીમાં તોફાનનો કહેર
ઉત્તરપ્રદેશ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યના ઇટાવા જિલ્લામાં 4, મથુરામાં ત્રણ, આગ્રામાં એક, કાનપુરમાં એક, અલીગઢ અને ફિરોઝપુર જિલ્લામાં એક વ્યક્તિની મૌત થયી છે.

સીએમ યોગી આદિત્યનાથે આપ્યા નિર્દેશ
ઉત્તરપ્રદેશ પ્રમુખ સચિવ અવનિશ અવસ્થી ઘ્વારા મીડિયાને જાણકારી આપવામાં આવી. તેમને જણાવ્યું કે સીએમ યોગી આદિત્યનાથે બધા જ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ આગ્રા, મથુરા, અલીગઢ અને ફિરોઝપુર સહીત પ્રભાવિત જિલ્લામાં આંધી અને તોફાનમાં થયેલા નુકશાન વિશે આંકલન કરે અને ઘાયલ થયેલા લોકોનો ઉચિત ઉપચાર કરાવે.
|
ઉત્તર ભારતની ઘણી જગ્યાઓ પર કહેર
આપણે જણાવી દઈએ કે પશ્ચિમ દિલ્હીમાં જોરદાર હવાઓ સાથે થોડો વરસાદ પણ પડ્યો. જ્યારે આ હાલત હરિયાણાના રોહતક અને ઇઝઝર માં જોવા મળ્યો, જ્યાં ભારે ગર્જના સાથે ઓલા પડ્યા છે.

તોફાનના કારણે લોકો પરેશાન
જોરદાર વરસાદ અને તોફાનને કારણે ઘણા વિસ્તારમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે. રોજ પર કામ કરતા લોકોની હાલત ખુબ જ કફોડી બની છે. તેમને ઘણી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
