સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોત
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે અહીં તૈનાત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે જ્યારે આ દૂર્ઘટનામાં બે કુલીના મોત થઈ ગયા છે.
સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે અહીં તૈનાત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે જ્યારે આ દૂર્ઘટનામાં બે કુલીના મોત થઈ ગયા છે. સેના અનુસાર સિયાચીન ગ્લેશિયરમાં આવેલા હિમસ્ખલનના કારણે કુલ આઠ લોકો બરફ નીચે દબાઈ ગયા હતા. જેમને ત્યાંથી કાઢવા માટે ઘટના સ્થળે રાહત અને બચાવ દળને રવાના કરવામાં આવ્યા.

સેના તરફથી આપેલી માહિતી અનુસાર દૂર્ઘટનામાં 8 લોકો બરફ નીચે દબાઈ ગયા હતા જેમાં 7 લોકોની હાલત ઘણી ગંભીર હતી. બરફ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં 6 લોકોનો મોત થઈ ગયા. મૃતકોમાં સેનાના જવાન અને 2 કુલી શામેલ છે. આ લોકોના મોત હાઈપોથર્મિયા એટલે કે શરીરનુ તાપમાન બહુ ઓછુ થઈ જવાના કારણે થયા છે. માહિતી અનુસાર આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયરમાં આવ્યુ હતુકે જે લગભગ 19000 ફૂટથી ઉપરની ઉંચાઈ પર સ્થિત છે. આ હિમસ્ખલન આજે બપોરે લગભગ 3.30 વાગે આવ્યુ. જ્યારે આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યુ તો એ વખતે સેનાની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે સિયાચીન ગ્લેશિયર કારાકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. સિયાચીન ગ્લેશિયરને દુનિયાનુ સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં થતી શરદીનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો છો કે અહીં શરીરના અંગ સુન્ન થઈ જાય છે. અહીં તૈનાત સૈનિકોને અતિશય ઠંડી હવાઓનો પણ સામનો કરવો પડે છે. અહીં ઘણીવાર હિમસ્ખલનના સમાચાર સામે આવતા રહે છે. અહીં ક્યારેક ક્યારેક તાપમાન શૂન્યથી 60 ડિગ્રી નીચે સુધી પણ જતુ રહે છે. આ પહેલા અહીં હિમસ્ખલનના કારણે ઘણા જવાનોના જીવ જઈ ચૂક્યા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
