અયોધ્યા ચુકાદાને જોતા ભાજપે બોલાવી બેઠક, મોટા નેતાઓ થશે શામેલ
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આજે સવારે 10.30 વાગે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યા ચુકાદા માટે ભાજપે આજે બેઠક બોલાવી છે.
અયોધ્યા મામલે દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચ આજે સવારે 10.30 વાગે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. અયોધ્યા ચુકાદા માટે ભાજપે આજે બેઠક બોલાવી છે. દિલ્લીમાં ભાજપના નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં ભાજપના ઘણા મોટા નેતાઓ શામેલ થવાની આશા છે. માહિતી મુજબ સવારે 10.30 વાગે પાર્ટીના મોટા નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં અમિત શાહ પણ શામેલ થશે.
વળી, ચુકાદા માટે પીએમ મોદીએ દેશવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમે દેશવાસીઓ માટે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તે કોઈની હાર-જીત નહિ હોય. તેમણે લખ્યુ કે દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહેશે કે આ ચુકાદો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ બળ આપે.
આ પણ વાંચોઃ Ayodhya Verdict Live: પાંચ જજોની બેંચ સવારે 10.30 વાગ્યે ફેસલો સંભળાવશે