લખનઉ,
13
એપ્રિલઃ
ઉત્તર
પ્રદેશ
સરકારના
લધુમતિ
મામલાઓના
મંત્રી
અને
સપા
નેતા
આઝમ
ખાને
ફરી
એકવાર
વિવાદિત
નિવેદન
આપ્યું
છે.
આઝમે
શુક્રવારે
બિજનોરમાં
એક
રેલી
દરમિયાન
રાજીવ
ગાંધી
અને
સંજય
ગાંધીનું
મૃત્યુ
અલ્લાહ
દ્વારા
કરવામાં
આવેલી
સજા
ગણાવી
છે.
નોંધનીય છે કે સંજય ગાંધી વર્ષ 1980માં એક વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા, જ્યારે 21 મે 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી રેલીને સંબોધિત કરતા ગાંધી પરિવાર ઉપરાંત આઝમે નરેન્દ્ર મોદી પર ફરી એકવાર હુમલો કર્યો. આઝમે મોદીના લગ્ન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જે વ્યક્તિ પોતાની પત્નીની ના થઇ શકી એ દેશની કેવી રીતે થશે.
ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ધને લઇને આઝમના નિવેદન બાદ શુક્રવારે સાંજે ચૂંટણી આયોગે તેમના ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી દીધી છે. આઝમ ઉપરાંત ભાજપના ઉપ્ર પ્રભારી અમિત શાહ પર પર આ પ્રતિબંધ લાદ્યો છે.