બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે ખાધી ઉંઘની ગોળી, ICUમાં ભરતી, હાલત ગંભીર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી ચર્ચામાં આવી ગયેલા બાબા કા ધાબાના કાંતા પ્રસાદે ગઈકાલે રાત્રે ઉંઘની ગોળી ખાઇ લીધી છે. જે બાદ તેને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની હાલત નાજુક છે. દિલ્હી પોલીસે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી ચર્ચામાં આવી ગયેલા બાબા કા ધાબાના કાંતા પ્રસાદે ગઈકાલે રાત્રે ઉંઘની ગોળી ખાઇ લીધી છે. જે બાદ તેને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની હાલત નાજુક છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે તેમને સફદરગંજ હોસ્પિટલ પાસેથી બાતમી મળી હતી કે વૃદ્ધ વ્યક્તિ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ પોલીસે વૃદ્ધ વ્યક્તિની ઓળખ કરી ત્યારે તે બાબાના ધાબાના કાંતા પ્રસાદ હોવાનું બહાર આવ્યું. હાલમાં કાંતા પ્રસાત આઈસીયુમાં દાખલ છે અને તેની હાલત નાજુક છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે કાંતા પ્રસાદે નિંદ્રાની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.
વીડિયો વાયરલ થયા પછી ચર્ચામાં આવ્યા
આપને જણાવી દઈએ કે બાબા કા ઢાબાના કાંતા પ્રસાદ જ્યારે તે સમયે યુટ્યુબર ગૌરવ વાસને તેની આર્થિક સ્થિતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે તે હેડલાઇન્સમાં આવ્યા હતા. તેનો આ વીડિયો વાયરલ થયા પછી મોટી સંખ્યામાં લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા. જે બાદ કાંતા પ્રસાદને લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું અને તેમના ઢાબા પર ભારે ભીડ જોવા મળી હતી. પૈસા મળ્યા પછી કાંતા પ્રસાદે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ ખોલ્યું હતું, પરંતુ રેસ્ટોરન્ટ ચાલ્યુ ન હોવાને કારણે તેને બંધ કરવું પડ્યું હતું.
યુટ્યુબર પર લગાવ્યો આરોપ
કાંતા પ્રસાદે યુટ્યુબર ગૌરવ પર આરોપ લગાવ્યો હતો કે તેમને દાનમાં મળેલા પૈસા ગૌરવ લઈ ગયો છે. જો કે, ગૌરવે આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેણે બાબાને દાન કરાયેલ એક રૂપિયો લીધો નથી અને જે રકમ વસૂલવામાં આવી હતી તે બાબાને આપી હતી. જો કે, રેસ્ટોરન્ટ બંધ થયા પછી જ્યારે કાંતા પ્રસાદ ફરીથી તેના પહેલા ઢાબા પર આવ્યા ત્યારે તેણે ગૌરવની માફી માંગી અને કહ્યું કે તેમણે પૈસા ચોરી કર્યા નથી અને તે ચોર નથી.
રેસ્ટોરન્ટ શા માટે બંધ કર્યુ?
જ્યારે કાંતા પ્રસાદ રેસ્ટોરન્ટ બંધ થયા પછી પાછા તેમના ધાબા પર આવ્યા ત્યારે ગૌરવ વાસન તેમને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન કાંતા પ્રસાદ ભાવુક થઈ ગયા અને ગૌરવની માફી માંગી અને કહ્યું કે ગૌરવ ચોર નથી. આ પછી ગૌરવે કહ્યું હતું કે જે ક્ષમા કરે છે તે ભૂલ કરતા કરતા વધારે હોય છે. તેમણે કહ્યું કે જો અંત બરાબર હોય તો બધુ ઠીક છે. ઢાબા પર પાછા આવ્યા પછી કાંતા પ્રસાદે કહ્યું કે રેસ્ટોરન્ટનું ભાડુ એક લાખ રૂપિયા હતું જે ખૂબ વધારે હતું, તેથી મેં તેને બંધ કરી દીધું.
કેટલુ ડોનેશન મળ્યુ?
આપને જણાવી દઈએ કે ગૌરવ વાસને કાંતા પ્રસાદ માટે દાન એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું અને તે પછી લોકોએ ખુલ્લેઆમ દાન આપ્યું હતું. પરંતુ કાંતા પ્રસાદે કહ્યું કે મને ખબર નથી કે મારા ખાતામાં કેટલા પૈસા આવ્યા છે. મને મીડિયા દ્વારા ખબર પડી કે મારા ખાતામાં 45 લાખ રૂપિયા આવ્યા છે. કાંતા પ્રસાદે આ પૈસા ક્યાં ખર્ચ્યા તે અંગે કંતા પ્રસાદે કહ્યું હતું કે ગયા વર્ષે મેં ડિસેમ્બર મહિનામાં એક રેસ્ટોરન્ટ ખોલી હતી, જેમાં કુલ 5 લાખ રૂપિયા ખર્ચાયા હતા. આ સિવાય ઘરનો વધુ એક માળ બાંધવામાં આવ્યો હતો, જૂનું દેવું ચુકવ્યું હતું. કાંતા પ્રસાદે કહ્યું કે મેં બાળકો માટે એક સ્માર્ટફોન ખરીદ્યો છે, તેમજ રેસ્ટોરન્ટમાં ખર્ચ ચૂકવ્યા બાદ મારી પાસે બાકીના પૈસા મારી પાસે છે.
કેટલો ખર્ચ કર્યો?
કાંતા પ્રસાદે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં તેણે તેની રેસ્ટોરન્ટ બંધ કરી દીધુ હતુ કારણ કે તેનો માસિક ખર્ચ એક લાખ રૂપિયામાં આવી રહ્યો હતો, જ્યારે દર મહિને વેચાણ માત્ર 40000 રૂપિયા થતુ હતું. રેસ્ટોરન્ટનું ભાડુ 35000 રૂપિયા હતું, ત્રણ કર્મચારીઓનો પગાર 35000 હતો અને 15000 રૂપિયા રેશન, વીજળી વગેરે પર ખર્ચ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ ધીરે ધીરે ગ્રાહકો ઓછા થયા જેના કારણે ખોટ વધી અને પછી મારે રેસ્ટોરન્ટ બંધ કરવી પડી. કાંતા પ્રસાદે કહ્યું હતું કે મારી પાસે 19 લાખ રૂપિયા બાકી છે. એટલું જ નહીં, કાંતા પ્રસાદે કહ્યું કે મને રેસ્ટોરન્ટ ખોલવાની ખોટી સલાહ આપવામાં આવી હતી, જેના કારણે મને નુકસાન થયું હતું, પરંતુ હવે હું બાકીના પૈસા મારા ભવિષ્ય માટે સુરક્ષિત રાખવા માંગુ છું.