કોરોના વાયરસઃ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની મદદનુ કર્યુ એલાન
પીએમની અપીલ બાદ યોગ ગુરુ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે.
આખો દેશ અત્યારે જાનલેવા કોરોના વાયરસના સંક્રમણ સામે એકજૂટ થઈને લડી રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લડાઈની કમાન સંભાળી રાખી છે અને તે લોકોને અપીલ કરી રહ્યા છે કે કોરોના વાયરસને હરાવવા માટે આપણે ઘરમાં રહેવાની જરૂરછે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે તે આ લડાઈથી લડવા માટે આર્થિક મદદ પણ કરે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે તે પીએમ કેર્સમાં આર્થિક મદદ કરે. પીએમની અપીલ બાદ યોગ ગુરુ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે.
બાબા રામદેવે કહ્યુ કે પતંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ કેર્સમાં 25 કરોડ રૂપિયાની મદદ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા તમામ સમાજસેવી સંગઠનો, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓએ આર્થિક મદદ કરી છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પણ 25 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.
કાર્તિક આર્યને પ્રધાનમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે. આ અંગેની માહિતી તેમણે ખુદ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરીને આપી છે. કાર્તિક આર્યને આ વિશે ટ્વિટમાં કહ્યુ, એક દેશ તરીકે અત્યારે એકસાથે ઉભા રહેવાની જરૂર છે. હું જે કંઈ પણ છુ, જે કંઈ પણ હુ કમાયો છુ, તે માત્ર ભારતના લોકોના કારણે છે અને આપણા બધા માટે જ મે પીએમ રાહત કોષમાં એક કરોડ રૂપિયા દાન કરી રહ્યો છુ.
આ પણ વાંચોઃ PM રાહત કોષમાં કાર્તિક આર્યને દાન કર્યા 1 કરોડ, દેશના લોકોના કારણે જ કમાયો છુ