For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની મદદનુ કર્યુ એલાન

પીએમની અપીલ બાદ યોગ ગુરુ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

આખો દેશ અત્યારે જાનલેવા કોરોના વાયરસના સંક્રમણ સામે એકજૂટ થઈને લડી રહ્યો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ લડાઈની કમાન સંભાળી રાખી છે અને તે લોકોને અપીલ કરી રહ્યા છે કે કોરોના વાયરસને હરાવવા માટે આપણે ઘરમાં રહેવાની જરૂરછે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે તે આ લડાઈથી લડવા માટે આર્થિક મદદ પણ કરે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે તે પીએમ કેર્સમાં આર્થિક મદદ કરે. પીએમની અપીલ બાદ યોગ ગુરુ બાબા રામદેવે 25 કરોડ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે.

ramdev

બાબા રામદેવે કહ્યુ કે પતંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ કેર્સમાં 25 કરોડ રૂપિયાની મદદ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા તમામ સમાજસેવી સંગઠનો, ફિલ્મ સ્ટાર્સ, ઉદ્યોગપતિઓએ આર્થિક મદદ કરી છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પણ 25 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

કાર્તિક આર્યને પ્રધાનમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે. આ અંગેની માહિતી તેમણે ખુદ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરીને આપી છે. કાર્તિક આર્યને આ વિશે ટ્વિટમાં કહ્યુ, એક દેશ તરીકે અત્યારે એકસાથે ઉભા રહેવાની જરૂર છે. હું જે કંઈ પણ છુ, જે કંઈ પણ હુ કમાયો છુ, તે માત્ર ભારતના લોકોના કારણે છે અને આપણા બધા માટે જ મે પીએમ રાહત કોષમાં એક કરોડ રૂપિયા દાન કરી રહ્યો છુ.

આ પણ વાંચોઃ PM રાહત કોષમાં કાર્તિક આર્યને દાન કર્યા 1 કરોડ, દેશના લોકોના કારણે જ કમાયો છુઆ પણ વાંચોઃ PM રાહત કોષમાં કાર્તિક આર્યને દાન કર્યા 1 કરોડ, દેશના લોકોના કારણે જ કમાયો છુ

English summary
Baba Ramdev Patanjali to contribute 25 crore to PM Narendra Modi initiative PMCares for Covid-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X