For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવની રેલીઓનો ખર્ચ ભાજપના ખાતામાં ગણશે ચૂંટણી પંચ

|
Google Oneindia Gujarati News

રાયપુર, 10 ઓક્ટોબર: ચૂંટણી પંચે બુધવારે રામદેવ સામે કડક વલણ અપનાવ્યું છે. છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ કુઝુરે જણાવ્યું કે જે રીતે રામદેવે ભાજપાના પક્ષમાં પ્રચાર પ્રસાર કર્યો છે એ રીતે તે પેઇડ ન્યૂઝ માનવામાં આવશે અને તેમના કાર્યક્રમો પર ખર્ચમાં આવેલી સરકારી ધનની વસૂલી ભાજપા પાસે કરવામાં આવશે. છત્તીસગઢમાં પેડ ન્યૂઝનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપાને ઝટકો લાગ્યો છે.

રામદેવે છત્તીસગઢના ઘણા વિધાનસભા વિસ્તારોમાં જઇને મતદાતાઓને પ્રોત્સાહિત અને યોગદીક્ષાના નામ પર સભાઓનું આયોજન કર્યું જેમાં તેમણે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના પક્ષમાં જોરદાર પ્રચાર કર્યો.

રામદેવે સભાઓ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ અને સ્વાભિમાન મંચના રામદેવની સભાઓ પર વિરોધ નોંધાવ્યો હતો, અને આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.

baba ramdev
કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આને પ્રથમ જીત ગણાવી છે. કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ શૈલેશ નિતિન ત્રિવેદીએ જણાવ્યું કે આ ભાજપાની નૈતિક હાર છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે રામદેવની સભાનો ખર્ચ ભાજપા પાસેથી વસૂલવાની માંગ કરી હતી અને ચૂંટણી પંચે તેનો સ્વીકાર કર્યો છે.

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને જણાવ્યું કે જ્યારે પણ તેમને ચૂંટણી પંચ પાસેથી નોટિસ મળશે ત્યારે તેઓ જવાબ આપશે. તેમણે જણાવ્યું કે બાબા રામદેવ ભાજપાના નેતા નથી અને કોઇ કાર્યકર નથી. રામદેવ છત્તીસગઢમાં આવીને સભા સંબોધે છે તેમાં ભાજપને કોઇ લેવાલેવા નથી.

English summary
Baba Ramdev Speech could be considered as election campaign in favor of the BJP and for that, the expenses incurred in his meetings could be added with the election expenditure of the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X