સીબીઆઇ કોર્ટે અડવાણી, મુરલી જોશી અને ઉમાને આપી જમાનત
બાબરી ધ્વંશ મામલે સીબીઆઇની વિશેષ અદાલતે તમામ 12 આરોપીઓની જમાનત મંજૂર કરી છે.
બાબરી ધ્વંશ મામલે આજે લખનઉમાં કોર્ટમાં સુનવણી કરવામાં આવી છે. આ મામલે અપરાધિક કાવતરાના આરોપ હેઠળ કોર્ટે સુનવણી કરી હતી. કોર્ટમાં આ કેસના આરોપી લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સમેત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જો કે બાબરી ધ્વંશ મામલે સીબીઆઇની વિશેષ અદાલતે તમામ 12 આરોપીઓની જમાનત મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યાયિક પ્રક્રિયા શરૂ થતા પહેલા જ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે તેમના નેતાઓ નિર્દોષ છે અને જે પણ પ્રક્રિયા થઇ રહી છે તે કાનૂની પ્રક્રિયા છે.

અહીં જણાવી દઇએ કે બાબરી ધ્વંશનો મામલે 25 વર્ષ જૂનો છે. સીબીઆઇની આ કોર્ટે આજે 12 નેતાઓ પર આરોપ નક્કી કરવાની હતી કે તેમણે બાબરી મસ્જિદના વિવાદીત ઇમારતને પાડવામાં કાર સેવકોની ઉશ્કેરણી કરી છે કે નહીં. ઉલ્લેખનીય છે કે સુનવણી પહેલા લખનઉના વીવીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે તમામ દિગ્ગજ નેતાઓએ એક બેઠક કરી હતી. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં હાજરી આપવા અને અડવાણીને મળવા માટે આવ્યા હતા.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
