Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Balasore Train Accident: 275 મૃતકોમાંથી હજુ સુધી નથી થઈ શકી 101 મૃતદેહોની ઓળખ

Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃતકોના 101 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

આ મૃતદેહો હજુ પણ અજાણ્યા લોકોની યાદીમાં છે. ઇસ્ટર્ન સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મેનેજર રિનિકેશ રૉયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો ઓડિશાની વિવિધ હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Balasore Train Accident:

રૉયે કહ્યું કે આ અકસ્માતમાં લગભગ 1100 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 900 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 278 લોકોમાંથી 101 લોકોના મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

ઓડિશામાં એક ભયાનક રેલ દુર્ઘટનામાં બે પેસેન્જર ટ્રેન અને એક ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. ભુવનેશ્વર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલાંગેએ જણાવ્યું કે ભુવનેશ્વરમાં 193 મૃતદેહો રાખવામાં આવ્યા છે, જ્યારે 80 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

55 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. BMCમાં 200થી વધુ લોકોએ ફોન કર્યો છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેને તેમના સંબંધીઓને સોંપવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનના ડબ્બા બીજા પાટા પર આવી ગયા હતા અને સામેથી આવતી હાવડા એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X