Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિત શાહે કર્યો ખુલાસો, આ કારણે નાગરીકતા સંશોધન બિલથી મુસ્લિમોને રખાયા બહાર

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભાની મંજૂરી મેળવ્યા બાદ આજે રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ રજૂ કર્યું હતું. આ વિધેયક અંગે ભાજપે તેના સાંસદોને આજે રાજ્યસભામાં હાજર રહેવા વ્હિપ જારી કરી દીધો હતો.

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભાની મંજૂરી મેળવ્યા બાદ આજે રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ રજૂ કર્યું હતું. આ વિધેયક અંગે ભાજપે તેના સાંસદોને આજે રાજ્યસભામાં હાજર રહેવા વ્હિપ જારી કરી દીધો હતો. આસામ અને ત્રિપુરાના પૂર્વોત્તર રાજ્યોમાં બિલ ભારે વિરોધ થઇ રહ્યો છે. તે જ સમયે, વિપક્ષ આ બિલ દ્વારા સરકાર પર મુસ્લિમો સામે ભેદભાવનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે આ બિલને કારણે દેશના મુસ્લિમો ભયભીત છે. તે જ સમયે, રાજ્યસભામાં બિલ રજૂ કર્યા પછી, અમિત શાહે વિપક્ષના આ આરોપોનો જવાબ આપ્યો. તેમણે ગૃહમાં ખુલાસો કર્યો હતો કે મુસ્લિમોને આ બિલમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે.

મુસ્લિમોને ચિંતા કરવાની નથી જરૂર

મુસ્લિમોને ચિંતા કરવાની નથી જરૂર

રાજ્યસભામાં બોલતા અમિત શાહે વિપક્ષના આરોપો પર કહ્યું કે દેશના મુસ્લિમોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મોદી સરકાર તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રહી છે. જો કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરે તો ગભરાશો નહીં. તેમણે કહ્યું કે આ બિલ અંગે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે કે તે મુસ્લિમોની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ એકદમ ખોટું છે, મુસલમાનોને આ બિલને કારણે ચિંતા કરવાની જરૂર નથી.

ભારતીય મુસ્લિમોને બિલ સાથે લેવા દેવા નથી

ભારતીય મુસ્લિમોને બિલ સાથે લેવા દેવા નથી

શાહે કહ્યું કે આ બિલને ભારતમાં વસતા મુસ્લિમો સાથે કોઈ લેવા-દેવા નથી. હું આજે તેઓને કહેવા માંગુ છું કે જેઓ આજે વોટબેંકની રાજનીતિ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, મેં ચૂંટણી પહેલા કહ્યું છે કે અમે આ બિલને લાગુ કરવા માટે કટિબદ્ધ છીએ. મુસ્લિમોએ આ બિલથી દૂર રાખવાના વિપક્ષના આક્ષેપો અંગે અમિત શાહે કહ્યું, 'શું તમે ઈચ્છો છો કે અમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આખી દુનિયાના મુસ્લિમોને નાગરિકત્વ આપીએ? આ કેવી રીતે થઈ શકે?

'ધાર્મિક આધારો પર ત્રાહીત લઘુમતી ક્યાં જશે?'

'ધાર્મિક આધારો પર ત્રાહીત લઘુમતી ક્યાં જશે?'

બિલની ટીકા કરનારાઓએ કહ્યું કે જો સરકાર ધાર્મિક ત્રાસથી પીડિત લઘુમતીઓને નાગરિકતા આપવાનો ઈરાદો રાખે તો પાકિસ્તાનના અહેમદીયા મુસ્લિમોને તેમાં શામેલ કરવામાં આવ્યા ન હતા. રાજ્યસભામાં ગૃહમંત્રીએ કહ્યું કે ધાર્મિક આધારો પર સતાયેલ લોકોને નાગરિકત્વ આપવામાં આવી રહ્યું છે. 'એ લોકો ક્યાં જશે? શું તેમને જીવવાનો અધિકાર છે કે નહીં? તેઓને નાગરિક ગણાવા જોઈએ કે નહીં?. શાહે કહ્યું કે સરકાર વિપક્ષોએ ઉભા કરેલા દરેક સવાલોના જવાબ આપવા તૈયાર છે.

ત્રણ દેશોની લઘુમતીઓને નાગરિકત્વની જોગવાઈ

ત્રણ દેશોની લઘુમતીઓને નાગરિકત્વની જોગવાઈ

શાહે કહ્યું કે આ ખરડો બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લઘુમતીઓના હિતોનું રક્ષણ કરશે. ગૃહ પ્રધાને કહ્યું કે 1985થી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા ત્યાં સુધી આસામ એકોર્ડની કલમ -6 ની કોઈ સમિતિ નહોતી. પરંતુ હવે હું આસામના લોકોને ખાતરી આપવા માંગુ છું કે, ભાજપ સરકાર કલમ ​​-6 ની સમિતિ દ્વારા તમારા બધા હિતોનું રક્ષણ કરશે. આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી (બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, હિન્દુ, પારસી) શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X