પશ્ચિમ બંગાળ ચૂંટણીઃ મમતા બેનર્જીએ ચૂંટણી કાર્યક્રમ કર્યા રદ, PM મોદી પણ આજે નહિ કરે રેલી
મમતા બેનર્જીએ ગુરુવારે(22 એપ્રિલ) ચૂંટણી પંચ(ECI)ના આદેશ બાદ પોતાની પૂર્વ નિર્ધારિત ચૂંટણી સભાઓ અને સાર્વજનિક રેલીઓને રદ કરી દીધી.
નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે(22 એપ્રિલ) ચૂંટણી પંચ(ECI)ના આદેશ બાદ પોતાની પૂર્વ નિર્ધારિત ચૂંટણી સભાઓ અને સાર્વજનિક રેલીઓને રદ કરી દીધી. ચૂંટણી પંચે દેશભરમાં અને રાજ્યોમાં વધતા કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારાના કારણે બંગાળમાં બધી ચૂંટણી રેલીઓ અને જનસભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો. સીએમ અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે તે પોતાના આગામી બધા નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ રદ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ એ પણ માહિતી આપી છે કે તે હવે વર્ચ્યુઅલી લોકો સાથે સંવાદ કરશે. આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે પશ્ચિમ બંગાળમાં થનારી રેલીઓમાં શામેલ થવાના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના શુક્રવારે(23 એપ્રિલ) પોતાનો પ્રવાસ રદ કરવાની માહિતી ખુદ ટ્વિટ કરીને આપી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે કોરોનાની સ્થિતિ પર ઘણી બેઠક કરવાના છે.
પીએમ મોદી આજે કરશે કોરોના પર હાઈ લેવલ બેઠક
પીએમ નરેન્દ્ર મોદી 23 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ચાર રેલીઓ કરવાના હતા. પીએમ મોદી માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ અને કોલકત્તા દક્ષિણમાં રેલી કરવાના હતા. જેને હવે રદ કરી દેવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે શુક્રવારે 23 એપ્રિલે તે કોરોના વાયરસ પર હાઈ લેવલની બેઠક કરવાના છે. આના કારણે તેમણે ચૂંટણી કાર્યક્રમ રદ કરી દીધો છે. આ પહેલા ભાજપે કહ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદીની હવે બંગાળમાં મોટી રેલીઓ નહિ થાય. પીએમ મોદીની રેલીઓમાં માત્ર 500 લોકોને જ આવવાની મંજૂરી હશે.
કોરોના વેક્સીનના પહેલા ડોઝ પછી શું થઈ શકે અને શું નહિ
મમતા બેનર્જીએ શું કહ્યુ?
મમતા બેનર્જીએ ગુરુવારે(22 એપ્રિલ) ટ્વિટ કરીને કહ્યુ કે દેશભરમાં ફેલાઈ રહેલ ોકવિડ-19 કેસોના કારણે ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને હું પોતાની નિર્ધારિત મીટિંગ્ઝ રદ કરી રહી છુ. હવે અમે લોકો વર્ચ્યુઅલી લોકો સુધી પહોંચીશુ. જલ્દી વર્ચ્યુઅલી મીટિંગ્ઝની લિસ્ટ જાહેર કરવામાં આવશે. મમતા બેનર્જીના ટ્વિટ પહેલા ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે 22 એપ્રિલ 2021(ગુરુવારે) સાંજે 7 વાગ્યાથી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોઈ પણ રોડ શો કે રેલીઓની મંજૂરી નહિ આપવામાં આવે અને આવી રેલીઓ અને રોડ શો માટે આ પહેલા આપવામાં આવેલી મંજૂરી રદ કરી દેવામાં આવી છે. જો કે ચૂંટણી પંચે કોવિડ-19 નિયમોનુ પાલન કરીને 500 લોકો સાથે સાર્વજનકિ બેઠકોની મંજૂરી આપી છે.