વડાપ્રધાનને 'નાઇટ વોચમેન' કહેવા બદલ મોદીને નોટિસ

પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સભ્ય કે કે બેનસને કહ્યું હતું કે 'નોટીસ મળ્યાને ત્રણ દિવસની અંદર નરેન્દ્ર મોદી આ (માફી માંગવી અથવા ટિપ્પણી પાછી લેવી) જોઇએ. જો નરેન્દ્ર મોદી આ પ્રમાણે કરશે નહી તો સ્થાનિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હું તેમના વિરૂદ્ધ માનહાનિની એક ફરિયાદ દાખલ કરીશ.
મીડિયામાં જાહેર પોતાની આ કાનૂની નોટીસમાં બેનસને કહ્યું કે મનમોહન સિંહને 'નાઇટ વોચમેન' ગણાવીને નરેન્દ્ર મોદીએ સાર્વજનિક રીતે વડાપ્રધાનના પદની છબિ અને પ્રતિષ્ઠાને અપમાનિત કરી છે, નીચું બતાવ્યું અને તેને બદનામ કરી છે. મનમોહનનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ ત્રણ માર્ચના રોજ પોતાના એક ભાષણમાં તેમને ગાંધી પરિવારના 'નાઇટ વોચમેન' ગણાવ્યા હતા.












Click it and Unblock the Notifications
