વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહમાં પરીવાર સાથે ભગવંત માને આપી હાજરી
આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌર પાકિસ્તાન-ભારત વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. બંનેએ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ પંજાબીઓના પ્રેમ અને આદરનો સ્વીકાર કર્યો અને યુવાનો સા
આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌર પાકિસ્તાન-ભારત વાઘા બોર્ડર પર પહોંચ્યા હતા. બંનેએ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ પંજાબીઓના પ્રેમ અને આદરનો સ્વીકાર કર્યો અને યુવાનો સાથે વાતચીત કરી. બીજી તરફ ગુરપ્રીતે ભારતીય જવાનોને પ્રોત્સાહિત કર્યા. સમારોહમાં ત્યાં હાજર હજારો લોકોએ સૈનિકોની પરેડની મજા માણી હતી.
સત્તાધારી આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને તેમની પત્ની ડૉ. ગુરપ્રીત કૌરની અટારી ખાતે રીટ્રીટ સેરેમનીમાં હાજરી આપતાં ફોટા શેર કર્યા છે. તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાન-ભારત બોર્ડર પર રિટ્રીટ સેરેમની થઈ. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ તેમની મૂછ પર તાવ લગાવીને સામેના સૈનિકોને હુંકાર ભરી હતી. ઉલ્લેખનિય છેકે રીટ્રીટ સેરેમની જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
CM @BhagwantMann ਜੀ ਤੇ ਉਹਨਾਂ ਦੇ ਧਰਮਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਜੀ ਨੇ ਵਾਹਗਾ ਬਾਰਡਰ, ਅਟਾਰੀ ਵਿਖੇ ਰੀਟ੍ਰੀਟ ਸੈਰਾਮਨੀ 'ਚ ਸ਼ਿਰਕਤ ਕੀਤੀ
— AAP Punjab (@AAPPunjab) November 19, 2022
ਸੈਰਾਮਨੀ 'ਚ ਜਵਾਨਾਂ ਦੀ ਪਰੇਡ ਦਾ ਆਨੰਦ ਮਾਣਿਆ। ਪੰਜਾਬੀਆਂ ਦਾ
ਪਿਆਰ-ਸਤਿਕਾਰ ਕਬੂਲਿਆ ਤੇ ਜਵਾਨਾਂ ਨਾਲ ਗੱਲਬਾਤ ਦੀ ਸਾਂਝ ਪਾਈ#wagahborder #Punjab pic.twitter.com/QplYLaDo5p