Bharat Bandh: 'ભારત બંધ'ના કારણે ઘણી ટ્રેનોના બદલાયા રૂટ, ઘણી કેન્સલ, જાણો આખી યાદી
ખેડૂતોના વિરોધ પ્રદર્શને જોતા ભારતીય રેલવે(Indian Railways)એ અમુક ટ્રેનોને રદ (Cancelled Train)કરી દીધી છે.
Bharat Bandh: છેલ્લા 13 દિવસથી કૃષિ બિલના વિરોધમાં સિંધુ બૉર્ડર પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતોએ પાંચ વાર કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી પરંતુ કોઈ ઠોસ ઉકેલ હજુ સુધી નીકળ્યો નથી. જેના કારણે ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનનુ આહ્વાન કર્યુ છે. આ બંધને હવે કોંગ્રેસ, બસપા, ટીઆરએસ, આરજેડી, આપ સહિત અન્ય વિપક્ષી દળોએ સમર્થન કર્યુ છે. વળી, એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી સરકારને ચેતવ્યા છે કે વાતચીતથી ઉકેલ જલ્દી કાઢે સરકાર નહિતર આ આંદોલન માત્ર દિલ્લી સુધી જ સીમિત નહિ રહે. તમને જણાવી દઈએ કે આ આંદોલનમાં પંજાબ, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના ખેડૂતો શામેલ છે.
અમુક ટ્રેનો રદ કરવામાં આવી
ખેડૂતોના વિરોધ પ્રદર્શને જોતા ભારતીય રેલવે(Indian Railways)એ અમુક ટ્રેનોને રદ (Cancelled Train)કરી દીધી છે. વળી, અમુક ટ્રેનોના રૂટ ડાયવર્ટ (Route Diversion)કરી દેવામાં આવ્યા છે. આવો નજર નાખીએ કે ટ્રેનોની લિસ્ટ પર..
આ થશે ટર્મિનેટ
- અમૃતસર-જયનગર એક્સપ્રેસ(04650) સ્પેશિયલ ટ્રેન
- અમૃતસર-નાંદેડ એક્સપ્રેસ(02716)
- બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ(04651)
- કોલકત્તા-અમૃતસર એક્સપ્રેસ(02357)
- અમૃતસર-કોલકત્તા એક્સપ્રેસ(02358)
આ ટ્રેનો થઈ રદ
- અમૃતસરથી અજમેર પાછી આવતી ટ્રેન નંબર 09612
- અમૃતસર જતી ટ્રેન નંબર 09613
- દિબ્રુગઢથી અમૃતસર જતી ટ્રેન નંબર 05211
- નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ(02715) ટ્રેન
- દિબ્રુગઢ-અમૃતસર એક્સપ્રેસ(05933) ટ્રેન
- અમૃતસર-દિબ્રુગઢ એક્સપ્રેસ (05934) ટ્રેન
સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ
તમને જણાવી દઈએ કે આજે ભારત બંધ હેઠળ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. ભારત બંધના કારણે આજે ઘણી જગ્યા અવરજવર પર અસર પડી શકે છે. વળી, ઘણા રાજ્યોમાં ઘણી સેવાઓ બંધ છે જેનાથી સામાન્ય જનતા જનજીવન પર પ્રભાવ પડશે. પંજાબ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ખેડૂતોના ભારત બંધનુ સમર્થન કર્યુ છે અને કહ્યુ છે તે ભારત બંધમાં શામેલ નથી.
Live: ખેડૂતોનુ ભારત બંધ આજે, ઉસ્માનિયા વિવિની પરીક્ષા સ્થગિત