Live: 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, પ્રયાગરાજમાં સપાના કાર્યકરોએ ટ્રેન રોકી
Live: 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં ભારત બંધ, ટ્રેન રોકી
નવી દિલ્હીઃ 13 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માંગને લઈ આજે કેટલાય સંગઠનોએ ભારત બંધની ઘોષણા કરી છે. આદિવાસી અને દલિત અધિકાર સંગઠનોએ 5 માર્ચે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ભારત બંધનું આહ્વાન કરનાર આ સંગઠનોની માંગ છે કે કેન્દ્ર સરકાર તેમના અધિકારોની રક્ષા માટે બે અધ્યાદેશ લાવીને આવ્યા જેનાપર સુપ્રીમ કોર્ટના ફેસલાની અસર પડી છે. એક અધ્યાદેશ આદિવાસીઓના વન અધિકારોથી સંબંધિત છે જ્યારે બીજી યૂજીસી ફેકલ્ટીના પદોમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરનાર છે. આ બંધને કેટલાય રાજનૈતિક દળોનું સમર્થન મળ્યું છે.

અખિલેશ યાદવે પણ વિરોધ નોંધાવ્યો, 'સમાજવાદી પાર્ટી ભાજપ સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાનોમાં લાગૂ આરક્ષણ વિરોધી 13 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના સખ્ત વિરોધમાં છે, દલિત, ઓબીસી, પછાત, કમજોર, વંચિત વિરોધ કેન્દ્રિત આ નીતિ સંવિધાનની ઉપેક્ષા છે.'
समाजवादी पार्टी भाजपा सरकार द्वारा शिक्षण संस्थानों में लागू आरक्षण विरोधी 13 प्वाइंट रोस्टर प्रणाली के सख़्त विरोध में हैं.
— Akhilesh Yadav (@yadavakhilesh) March 5, 2019
दलित, ओबीसी, पिछड़ा, कमज़ोर, वंचित विरोध केंद्रित ये नीति संविधान की उपेक्षा व अवहेलना है.
ભારત બંધના સમર્થનમાં લાલૂ પ્રસાદ યાદવનું ટ્વીટ, 'દેશમાં દલિતો, પછાતો અને આદિવાસિઓના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ હ્યો છે. આદિવાસિઓની જમીન છિનવામાં આવી રહી છે. સંવિધાનની સાથે છેડતી કરી વંચિત વર્ગોનું આરક્ષણ સમાપ્ત કરવામાં આી રહ્યું છે. દલિતો પર અત્પીડન વધી ગયું છે. આરએસએસની જાતિવાદી નીતિઓ લાગૂ કરવામાં આવી રહી છે.'
તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું, જ્યાં સુધી પાસવાન જી અને નીતિશજી જેવા લોકો આરએસએસના ઘોડિયાંમાં રમતા રહેશે ત્યાં સુધી સંવિધાનની જગ્યા મનુસ્મૃતિ માનના લોકો દલિતો-પછાતોના આરક્ષણની ખુલ્લેઆમ ધજ્જિયાં ઉડાવતા રહેશે. ભાજપ દિનદહાડે વંચિતોની નોકરીઓ અને આરક્ષણ સમાપ્ત કરી રહ્યા છે અને તેઓ એમનું ગુણગાન કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
