તેલંગાણામાં બીજેપીને મોટો ઝટકો, આ મોટા નેતાએ પાર્ટી છોડી!
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી તે પહેલા જ બીજેપીનો મોટો ઝટકો લાગ્યો છે. તેલંગાણાના બીજેપીના મોટા નેતા અને પુર્વ રાજ્યસભા સાંસદ આનંદ ભાસ્કર રાપોલુએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી તે પહેલા જ બીજેપીનો મોટો ઝટકો લાગ્યો છે. તેલંગાણાના બીજેપીના મોટા નેતા અને પુર્વ રાજ્યસભા સાંસદ આનંદ ભાસ્કર રાપોલુએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. આનંદ ભાસ્કર રાપોલૂએ પાર્ટી એમ કહીને પાર્ટી છોડી છે કે, તેમને છેલ્લા ચાર વર્ષથી રાષ્ટ્રિય રાજનીતિથી અલગ રાખવામાં આવ્યા છે. આ સાથે તેમને અપમાનિત કરવામાં આવ્યા અને ઓછા આંકલામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમને બહાર રાખવામાં આવ્યા.

આનંદ ભાસ્કર રાપોલુએ પાર્ટી છોડતા હવે વિભાનસભા ચૂંટણી પહેલા બીજેપીને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આવતા વર્ષોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીને મોટુ નુકસાન થઈ શકે છે.
આનંદ ભાસ્કરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા પહેલા આનંદ ભાસ્કર રાપોલુ ભારત રાષ્ટ્ર સમિતિના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. જે બાદ તેમની ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
